Jiah Khan Case : 28 એપ્રિલે થશે જિયા ખાન આત્મહત્યા કેસનો અંતિમ નિર્ણય, કોર્ટે જાહેર કર્યો આદેશ
Jiah Khan Case : બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાન આત્મહત્યા કેસમાં મુંબઇની એક અદાલત આગામી 28 એપ્રિલ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપી શકે છે. સ્પેશિયલ ન્યાયાધીશ એએસ સૈયદે ગત 20 એપ્રિલ, 2023ની અંતિમ દલીલો પુરી કરી લીધી છે. આ મામલે ચુકાદા માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલો 3 જૂન, 2013 ના રોજ શરૂ થયો હતો, જ્યારે જિયા ખાન તેની માતા રાબિયા ખાનને પંખાથી લટકતી મળી હતી.

જિયા ખાને કથિત રીતે બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી સાથેના તેના તણાવપૂર્ણ સંબંધોનું વર્ણન કરતો 6 પાનાની આત્મહત્યા નોંધ પણ લખી હતી. તેના આધારે સૂરજ પંચોલી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો હતો. આ પછી મુંબઈ પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી. બાદમાં 1 જુલાઈ, 2013ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા સૂરજ પંચોલીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
આવા સમયે, દિવંગત અભિનેત્રી જિયા ખાનની માતા રાબિયા ખાને તે સમયે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તપાસ SIT અથવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેની પુત્રીનું મૃત્યુ આત્મહત્યાથી નથી થયું, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. વર્ષ 2014માં હાઈકોર્ટે તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી હતી.
આ પછી CBના વિશેષ ન્યાયાધીશ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી માર્ચ 2019માં શરૂ થઈ હતી. ડિસેમ્બર 2015 માં, બોલીવુડ અભિનેતા અને જિયા ખાનના કથિત બોયફ્રેન્ડ સૂરજ પંચોલી સામે દાખલ કરાયેલી ચાર્જશીટમાં, CBIએ તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. જે બાદમાં, રાબિયાએ ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને કેસ અમેરિકન તપાસકર્તાઓને, એફબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. કારણ કે, જિયા અમેરિકન નાગરિક હતી.
હાઈકોર્ટે રાબિયા ખાનની આ અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન સૂરજ પંચોલીના વકીલ પ્રશાંત પાટીલે જાન્યુઆરી 2023 માં સાક્ષીઓને બોલાવીને ટ્રાયલ ઝડપી કરવા માટે વિશેષ અદાલતમાં અરજી કરી હતી.
તેમણે દલીલ કરી હતી કે, સીબીઆઈએ માત્ર 14 સાક્ષીઓને જ રજૂ કર્યા હતા અને કેસ 2014થી પેન્ડિંગ હતો. તેમણે દલીલ કરી હતી કે, ટ્રાયલમાં વિલંબથી સૂરજ પંચોલીને મુશ્કેલી થઈ રહી છે. હવે આ મામલે ચુકાદો 28 એપ્રિલ, 2023ના રોજ એટલે કે આવતીકાલે સંભળાવવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
