સોનુ સૂદ પંજાબની ચૂંટણી પહેલા રાજકીય પક્ષમાં નહીં જોડાય, બહેન માલવિકા કરશે રાજકારણમાં પ્રવેશ
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે પંજાબમાં આગામી ચૂંટણી પહેલા કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો તેમનો ઈરાદો હોવાનું નકાર્યું હતું. જો કે, અભિનેતાએ તેની બહેનના રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે પંજાબમાં આગામી ચૂંટણી પહેલા કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો તેમનો ઈરાદો હોવાનું નકાર્યું હતું. જો કે, અભિનેતાએ તેની બહેનના રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અભિનેતાએ રવિવારના રોજ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે ઉમેર્યું કે પાર્ટીમાં માલવિકા સૂદ જોડાશે તે અંગે કોઈ ખાતરી કરવામાં આવી નથી.

સોનુ સૂદે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવાના પોતાના ઈરાદાને નકારી કાઢતા સોનુ સૂદે દાવો કર્યો હતો કે, તેમના પરિવારનું હિત શિક્ષણ અને આરોગ્યમાં છે. તેઓ પંજાબના લોકોની સેવા કરવા માગે છે. જો કે, સોનુ સૂદ એવા કોઈપણ પ્લેટફોર્મ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે જે તેને લોકો માટે કામ કરવાની સ્વતંત્રતા આપે.
હું એવા કોઈપણ પ્લેટફોર્મ સાથે જોડાઈશ જ્યાં પગ ખેંચવાની અને સ્વતંત્ર રીતે કામ કરવાની જરૂર નથી
અભિનેતાએ જણાવ્યું હતું કે, "હું એવા કોઈપણ પ્લેટફોર્મ સાથે જોડાઈશ જ્યાં પગ ખેંચવાની અને સ્વતંત્ર રીતે કામ કરવાની જરૂર નથી. પ્લેટફોર્મ રાજકીય અને અરાજકીય હોય શકે છે.
જ્યારે માલવિકા સૂદને પૂછવામાં આવ્યું કે, કઈ પાર્ટીમાં જોડાશે તો અભિનેતાએ જણાવ્યું કે, પાર્ટી મહત્વની નથી, પરંતુ પોલિસી મહત્વની છે. મારી બહેન લોકો અને સમાજની સેવા કરશે. આપ અને કોંગ્રેસ બંને સારા પક્ષો છે.
સોનુ સૂદ, જેમણે આ અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી, તેમણે પુષ્ટિ કરી કે, તેઓ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલને પણ મળશે. સોનુ સૂદે લોકોને તેની બહેન માલવિકા સૂદને સમર્થન આપવાની અપીલ કરી હતી. તેની મિલકતો પરના તાજેતરના આવકવેરા સર્વેક્ષણ વિશે વાત કરતા, સોનુ સૂદે તેને "પરીક્ષાનો સમય" ગણાવ્યો પરંતુ કહ્યું કે, તે "લોકોને મારી સેવા પર અસર કરશે નહીં".
અભિનેતાએ કહ્યું કે, તેમની ટીમ દર્દીઓ માટે મફત ડાયાલિસિસની વ્યવસ્થા કરશે. તેમણે ખેડૂતોને પોતાનો સહયોગ પણ આપ્યો છે. સોનુ સૂદે કહ્યું કે, "હું ખેડૂતોને સમર્થન આપું છું. તેમને તેમનો હક મળવો જોઈએ. અમે તેમના કારણે ખાઈ શકીએ છીએ. તાજેતરમાં જ અભિનેત્રી કંગના રનૌતને આપવામાં આવેલ પદ્મશ્રી માટે શા માટે તેમની વિચારણા કરવામાં ન આવી તે અંગે પૂછવામાં આવતા સોનુ સૂદે જવાબ આપ્યો, "આ વિચારવાનો પ્રશ્ન છે."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
