અયોધ્યા ચુકાદોઃ ગૌહર ખાન બોલી, જો કોઈ ભડકાવવાની કોશિશ કરે તો...
અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી ગૌહર ખાને એક ખાસ ટ્વિટ કર્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.
શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ કે અયોધ્યામાં વિવાદત સ્થળ પર જ રામ મંદિર બનશે જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે આ ચુકાદો સર્વસંમતિથી સંભળાવ્યો.
|
ગૌહર ખાને કર્યુ ખાસ ટ્વિટ
આ ઐતિહાસિક ચુકાદા પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી ગૌહર ખાને એક ખાસ ટ્વિટ કર્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. વાસ્તવમાં ગૌહર ખાને પોતાના ટ્વિટર પર લખ્યુ હતુ કે ઈસ્લામની સુંદરતા એ છે કે તમે મુસ્લિમ હોવાના નાતે ક્યાંય પણ પ્રાર્થના કરી શકો છો, જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોય તો, રસ્તાના કિનારે બેસીને પણ પ્રાર્થના કરી શકો છો, તમારી પ્રાર્થના કોઈ પણ જમીન પર સીમિત નથી જ્યાં તમે નમાઝ પઢો છો તે તમારી સ્થિતિ અને પરિસ્થિતિ પર આધારિત હોય છે.

મોટા માણસ બનો, શાંતિ જાળવી રાખોઃ ગૌહર ખાન
ગૌહર ખાને આ ફોટોને પોસ્ટ કરીને લખ્યુ કે જે કોઈ પણ તમને ઉશ્કેરવાની કોશિશ કરે કે ચુકાદા માટે તમારી મજાક ઉડાવે તેના માટે આ પોસ્ટ છે.. મોટા માણસ બનો, શાંતિ જાળવી રાખો.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની ખાસ વાતો
સુપ્રીમ કોર્ટે 2.77 એકરની આખી વિવાદિત જમીન મંદિર બનાવવા માટે આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રમે કહ્યુ છે કે તે મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને કહેવામાં આવ્યુ છે કે તે ત્રણ મહિનાની અંદર એક યોજના બનાવે જે મુજબ બોર્ડ ઑફ ટ્રસ્ટી નક્કી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવા માટે કહ્યુ, આ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે શિયા વકફ બોર્ડની અપીલ ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યુ 1992માં બાબરી મસ્જિદને પાડવી અને 1949માં મૂર્તિઓ રાખવી કાયદાની વિરુદ્ધ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
