દિલીપ કુમારની હાલત સ્થિર, ડોક્ટરોએ જણાવ્યુ ક્યારે આપશે ડીસ્ચાર્જ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની તબિયત રવિવારે બગડી હતી. આ પછી તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં તેમના ફેફસામાં તકલીફ જોવા મળી હતી. આ સિવાય 98 વર્ષના હોવાને કારણે તેને વય સં
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની તબિયત રવિવારે બગડી હતી. આ પછી તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં તેમના ફેફસામાં તકલીફ જોવા મળી હતી. આ સિવાય 98 વર્ષના હોવાને કારણે તેને વય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ છે. જોકે, હવે તેમની હાલત સંપૂર્ણ સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત, તેમને આગામી કેટલાક દિવસોમાં રજા આપવામાં આવશે.

ચેસ્ટના નિષ્ણાંત ડો.જલીલ પારકરે જણાવ્યું કે તેમને નોન-કોવિડ યુનિટમાં રાખવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે દિલીપકુમારને દ્વિપક્ષીય પ્લુઅરલ ફ્યુઝન હતું, જેના કારણે ફેફસાંમાં પ્રવાહી ભરાઈ ગયુ છે. આ કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોક્ટરની ટીમ બુધવારે તે પ્રવાહીને કેવી રીતે ડ્રેઇન કરે તે અંગે નિર્ણય લેશે. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાય છે અને ઓક્સિજનનું સ્તર પણ સ્વસ્થ થઈ ગયું છે. ડો.જલીલે આશા વ્યક્ત કરી કે આગામી ત્રણ-ચાર દિવસમાં તેમને રજા આપવામાં આવશે.
બે દિવસ પહેલા દિલીપકુમારની પત્ની સાયરા બાનુએ તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક નોંધ શેર કરી હતી. જેમાં તેમણે લોકોની પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. તેમણે લખ્યું છે કે મારા પતિ, મારા કોહિનૂર, અમારા દિલીપકુમાર સાહબની તબિયત સ્થિર છે અને ડોક્ટરોએ મને ખાતરી આપી છે કે જલ્દીથી તેમને રજા આપવામાં આવશે.
મૃત્યુની અફવા ઉડી હતી
આપને જણાવી દઈએ કે દિલીપકુમારની તબિયત લથડતાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની વાત ફેલાવી હતી. ત્યારબાદ ઘણી બોલિવૂડ હસ્તીઓ દિલીપ સાહેબના પરિવારને ફોન કર્યો હતો. બાદમાં તેના પરિવારના સભ્યોએ ખુદ મીડિયા સાથે સંપર્ક કરીને આ અફવાની સત્યતા જણાવી હતી. ત્યારથી, તેની તબિયત સતત સુધારી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
