Amitabh Bachchan: એકવાર પુનીત ઈસ્સરના મુક્કાથી ફાટી ગયા હતા અમિતાભ બચ્ચનના આંતરડા, આખા દેશે કરી હતી દુઆ
કુલી ફિલ્મના શૂટિંગ વખતે પણ અમિતાભને ગંભીર ઈજા થઈ હતી અને સમગ્ર દેશમાં લોકોએ તેમના બચવાની દુઆઓ કરી હતી. ફિલ્મના વિલન પુનીત ઈસ્સરે એ વખતે રિયલ વિલનનુ કામ કર્યુ હતુ. આવો જાણીએ શું હતો સમગ્ર મામલો.
Amitabh Bachchan: બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે એક એક્શન સીનની શૂટિંગ દરમિયાન ઈજા થઈ ગઈ. ફિલ્મનુ શૂટિંગ તાત્કાલિક રોકવામાં આવ્યુ. ડૉક્ટર્સે અમિતાભને ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ માટે બેડ રેસ્ટની સલાહ આપી છે. આ સમાચાર મળતા જ ફેન્સના જીવ અધ્ધર થઈ ગયા. અને ફેન્સને ફિલ્મ કુલીની યાદ આવી ગઈ. કુલી ફિલ્મના શૂટિંગ વખતે પણ અમિતાભને ગંભીર ઈજા થઈ હતી અને સમગ્ર દેશમાં લોકોએ તેમના બચવાની દુઆઓ કરી હતી. ફિલ્મના વિલન પુનીત ઈસ્સરે એ વખતે રિયલ વિલનનુ કામ કર્યુ હતુ. આવો જાણીએ શું હતો સમગ્ર મામલો.

અમિતાભ બચ્ચનને થઈ ઈજા
ફિલ્મ પ્રોજેક્ટ કેના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને ઈજા થઈ હતી. ઈજાઓ ખૂબ ગંભીર છે, તેથી ફિલ્મનુ શૂટિંગ તાત્કાલિક અટકાવવુ પડ્યુ. આ સાથે ડૉક્ટરોએ અભિનેતાને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી બેડ રેસ્ટની સલાહ પણ આપી છે. આ અકસ્માત સાથે ચાહકોને ફિલ્મ 'કુલી'નો સમય યાદ આવી ગયો, જ્યારે અભિનેતાના સ્વાસ્થ્ય માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી હતી.

પુનીત ઈસ્સરનો જોરદાર મુક્કો અમિતાભને પેટમાં વાગ્યો
આ અકસ્માત બાદ અમિતાભ બચ્ચનને એક રીતે બીજુ જીવન મળ્યુ હતુ. વાસ્તવમાં ફિલ્મ 'કુલી'માં એક સીન હતો, જેમાં વિલને અભિનેતાને મુક્કો મારવાનો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં આ સીનને લઈને ખાસ ચર્ચા જોવા મળી હતી. કારણ એ હતુ કે આ સીન પછી અભિનેતાની હાલત ખરાબ થઈ ગઈ હતી. શૂટિંગ સમયે અમિતાભ બચ્ચને ઊંચાઈ પરથી કૂદવાનુ હતુ. પરંતુ આવુ થવાને બદલે ઊલટુ થયુ અને પુનીતનો જોરદાર મુક્કો અભિનેતાના પેટમાં વાગ્યો.

200થી વધુ લોકોએ કર્યુ હતુ રક્તદાન
મુક્કો એટલો જોરદાર હતો કે અમિતાભ બચ્ચન વેદનામાં જમીન પર બેસી ગયા. આ પછી, તેમને તાત્કાલિક શૂટિંગ સેટ પર લઈ જવામાં આવ્યા અને ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા. પંચના કારણે અમિતાભના શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવ શરૂ થયો હતો. રક્તસ્ત્રાવ એટલો બધો હતો કે અભિનેતાના શરીરમાં લોહીની ખૂટી ગયુ હતુ. અભિનેતાનો જીવ બચાવવા માટે તે સમયે 200થી વધુ લોકોએ રક્તદાન કર્યુ હતુ. જે બાદ તબીબોને લગભગ 60 બોટલ લોહી મળ્યુ હતુ.

અમિતાભનુ 25 ટકા લીવર ખરાબ
એક વ્યક્તિના લોહીમાં હેપેટાઇટિસ બી વાયરસ હતો. આ લોહીથી અમિતાભ સાજા થઈ ગયા પરંતુ વર્ષો પછી ખબર પડી કે આ વાયરસને કારણે તેમને લિવર સિરોસિસ થઈ ગયુ છે. જેના કારણે અભિનેતાના લીવરને નુકસાન થયુ હતુ. એક ઈન્ટરવ્યુમાં અમિતાભે પોતે જણાવ્યુ હતુ કે તેમનુ 25 ટકા લીવર ડેમેજ થઈ ગયુ છે. આ પછી તેમણે હેપેટાઈટીસ અંગે જાગૃતિ લાવવા માટે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

કેબીસીના સેટ પર કપાઈ ગઈ નસ
અમિતાભના ચાહકો આ ઘટનાને ક્યારેય ભૂલી શક્યા નથી. આ ઘટના સિવાય કેબીસીના સેટ પર અભિનેતા સાથે અકસ્માત પણ થયો હતો, જ્યારે અકસ્માતે તેમના પગની નસ કપાઈ ગઈ હતી. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ ડૉક્ટરોએ બિગ બીને આરામ કરવાની સલાહ આપી હતી. ઈજા ખૂબ જ ગંભીર હતી, ત્યારબાદ ડૉક્ટરોએ પણ અમિતાભને ટ્રેડમિલનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી.












Click it and Unblock the Notifications
