અંબોલી પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી, જાણો શું છે પુરો કેસ?
ડ્રામા ક્વિન રાખી સાવંતની મુશ્કેલી વધી છે. મળી રહેલી વિગતો અનુસાર, અંબોલી પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી છે.
બોલિવૂડમાં સતત બબાલો ઉભી કરનારી ડ્રામા ક્વિન રાખી સાવંતની મુશ્કેલી વધી છે. મળી રહેલી વિગતો અનુસાર, અંબોલી પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી છે. એક તરફ રાખી તેની માતાની તબિયતને લઈને મુશ્કેલીમાં છે ત્યારે હવે તે પોલીસના ચક્કરમાં ફસાઈ છે. રાખીની માતા બ્રેઈન ટ્યૂમર અને કેન્સર સામે લડી રહી છે અને હોસ્પિટલમાં છે ત્યારે પોલીસે શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંતની ધરપકડ કરી છે.

રાખી સાવંતની ધરપકડ
અંબોલી પોલીસે રાખી સાવંત સામે FIR 883/2022 અંતર્ગત કાર્યવાહી કરી છે. 18 જાન્યુઆરીએમુંબઈ પોલીસ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી રદ કરી હતી. આજે રાખી સાવંત ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી. પરંતુ તે પહેલા જ તેની ધરપકડ કરાઈ છે.

શર્લિન ચોપરાએ માહિતી શેર કરી
આ બાબતે શર્લિન ચોપરાએ ટ્વિટર કરીને માહિતી શેર કરી છે. શર્લિન ચોપરાએ ટ્વિટમાં જણાવ્યુ કે,FIR 883/2022ના સંબંધમાં રાખીની ધરપકડ કરાઈ છે. અગાઉ એબીએ 1870/2022ને મુંબઈ પોલીસ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. શર્લિન ચોપરાએ રાખી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
BREAKING NEWS!!!
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023
AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022
YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT
શર્લિન ચોપરાએ એફઆરઆઈ નોંધાવી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંત વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની કલમ હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. શર્લિન ચોપરાએ આરોપ લગાવ્યો છે કે, રાખી સાવંતે શર્લિન ચોપરાનો વિવાદાસ્પદ વીડિયો બધાને બતાવ્યો અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શર્લિન વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો.

રાખીની માતા બિમાર છે
આ દિવસોમાં રાખી સાવંત તમામ તરફથી મુશ્કેલીમાં ઘેરાયેલી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેની માતાની બીમારી વિશે જાણકારી આપી હતી. રાખીએ જણાવ્યું હતું કે તેની માતાની હાલત એટલી ખરાબ છે કે તે ન તો કોઈની સાથે વાત કરી રહી છે અને ન તો કોઈને ઓળખી શકે છે.

રાખીને મિસકૈરેજ થયુ હતુ
આ સિવાય રાખી સાવંતે તેના મિસકૈરેજ વિશે પણ માહિતી આપી હતી. વિરલ ભાયાણી અનુસાર, અભિનેત્રીએ વાતચીતમાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેને મિસકૈરૈજ થયું હતું. જો કે આદિલ દુર્રાનીએ રાખીના કસુવાવડના સમાચારને ફગાવી દીધા હતા. આદિલે કહ્યું કે આ ફેક ન્યૂઝ છે અને દરેકને આ પ્રકારના સમાચાર ન ફેલાવવાની વિનંતી પણ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
