Exclusive: સન્નીને રાજકારણમાં નહીં પણ મોદીમાં છે વિશ્વાસ!
આખો દેશ આ સમયે ચૂંટણી રંગમાં રંગાઇ ગયો છે, રોજેરોજ સમાચારો આવી રહ્યા છે કે આ અભિનેતા રાજકારણમાં જોડાઇ રહ્યા છે પેલી અભિનેત્રી રાજકારણમાં જોડાઇ રહી છે. આવા જ કોઇ સમાચાર આવ્યા હતા કે બૉલીવુડના એક્શન હિરો સન્ની દેઓલ પણ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે.
તેઓ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી 2014 લડી શકે છે. જોકે આ સમાચારોનું ખંડન કરીને સન્ની દેઓલે વનઇન્ડિયા સાથે એક્સક્લૂઝિવ વાતચિત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ આ વખતે તો શું ક્યારેય પણ રાજકારણમાં નહીં આવે.
રાજકારણ મારી તાકાત બહારની વસ્તુ છે. હું એક કલાકાર છું અને એક્ટિંગ જ મારો શોખ છે. આ ઉપરાંત તેઓ બીજું કંઇ કરી શકે તેમ નથી. એક્શન કિંગ સન્ની દેઓલે વનઇન્ડિયા રિપોર્ટર સોનિકા મિશ્રા સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે જે પણ સમાચારો મને અને રાજકારણને લઇને આવ્યા છે કાલ્પનીક છે.
સન્ની દેઓલે વનઇન્ડિયા સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું વાંચો સ્લાઇડરમાં...

મોદી વિશે શું કહ્યું સન્ની દેઓલે
પિતા ધર્મેન્દ્રને પોતાના આદર્શ માનનાર સન્નીએ જણાવ્યું કે મારા પિતાએ રાજકારણમાં પગ મૂક્યો હતો ત્યારે જ મને સમજાઇ ગયું હતું કે રાજકારણ મારા કામની વસ્તુ નથી.

સન્ની દેઓલ
છેલ્લા ઘણા સમયથી મુંબઇમાં ભાજપ ઉમેદવાર સત્યપાલ સિંહના રોડશોમાં સન્ની દેઓલ જોવા મળ્યા હતા. જેના જવાબમાં સન્નીએ જણાવ્યું હતું કે તેઓ સત્યપાલ સિંહને સપોર્ટ કરવા માટે ગયા હતા ભાજપને નહીં.

સન્ની દેઓલ
સત્યપાલ સિંહને તેઓ વ્યક્તિગત રીતે જાણે છે, તેઓ એક ઇમાનદાર અને આદર્શ વ્યક્તિ છે. જ્યાં સુધી ભાજપને સપોર્ટ કરવાની વાત છે તો હું કોઇપણ પાર્ટીને સપોર્ટ નથી કરતો.

મોદી વિશે શું કહ્યું સન્ની દેઓલે
જ્યારે તેમને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સીધી રીતે કંઇ જણાવ્યું નહીં પરંતુ એટલું જરૂર કહ્યું કે તેઓ અને દેશ એક મોટું પરિવર્તન ઇચ્છે છે અને દેશના વડાપ્રધાન એને જ બનવું જોઇએ જે દેશ માટે સારું વિચારે અને સારું કરે જે વચનોમાં નહીં પરંતું કામ કરવામાં વિશ્વાસ રાખે. તેમની વાતો પરથી તો એવું લાગ્યું કે તેઓ મોદીમાં વડાપ્રધાન બનવાની ક્વોલિટી જુએ છે.

સન્ની દેઓલની નવી ફિલ્મ 'ઢિશ્કિયાઉ
હાલમાં સન્ની દેઓલ તેમની આવનાર ફિલ્મ 'ઢિશ્કિયાઉ'ને લઇને ચર્ચિત છે. ફિલ્મ 28 માર્ચના રોજ રિલીઝ થઇ રહી છે. જેમાં હરમન બાવેજા અને આયશા ખન્ના પણ છે. આ ફિલ્મ દ્વારા શિલ્પા શેટ્ટી કુંદ્રા નિર્માતા તરીકે ઇન્ડસ્ટ્રીઝમાં દેખાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
