વેચાવાનો છે 70 વર્ષ જૂનો રાજકપૂરનો આઈકોનિક 'RK' સ્ટુડિયો
રાજકપૂરનો પરિવાર આરકે સ્ટુડિયો વેચવા માટે મજબૂર છે કારણકે ગયા વર્ષે સ્ટુડિયોમાં લાગેલી આગથી ઘણુ નુકશાન થઈ ગયુ છે.
આરકે સ્ટુડિયો માત્ર એક સ્થળનું નામ નથી પરંતુ આ માયાનગરી મુંબઈની સુંદર જગ્યાઓમાંનું એક છે. આ સ્ટુડિયો, શો મેન રાજકપૂરની બોલિવુડને આપેલી એ ભેટ છે જ્યાંથી એવી ફિલ્મોનો ઉદગમ થયો કે જે હિંદી સિને જગત માટે મિલનો પત્થર સાબિત થઈ પરંતુ સમય અને પરિસ્થિતિનો શિકાર આ સ્ટુડિયો આજે વેચાવા જઈ રહ્યો છે. આજે રાજકપૂરનો પરિવાર આ સ્ટુડિયો વેચવા માટે મજબૂર છે કારણકે ગયા વર્ષે સ્ટુડિયોમાં લાગેલી આગથી ઘણુ નુકશાન થઈ ગયુ છે.
|
વર્ષ 1984 માં બન્યો હતો 'RK' સ્ટુડિયો
તમને જણાવી દઈએ કે આ સ્ટુડિયોને રાજકપૂરે વર્ષ 1984 માં બનાવડાવ્યો હતો, તેને વેચવાનો નિર્ણય રાજકપૂરના પુત્ર ઋષિ કપૂર માટે પણ સરળ નથી, તેમણે પોતે કહ્યુ કે છાતી પર પત્થર રાખીને આને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં ગયા વર્ષે રાજ કપૂર સ્ટુડિયોમાં આગ લાગવાથી ઘણુ નુકશાન થયુ હતુ જેને બનાવવામાં હવે બહુ ખર્ચ થશે. જેના કારણે પરિવારે આને વેચવાનો નિર્ણય કર્યો છે.

અહીં રાજકપૂર ‘આવારા' થયા હતા...
ઐતિહાસિક સ્ટુડિયોમાં સૌથી પહેલા જે ફિલ્મ શૂટ થઈ હતી તેનું નામ ‘આગ' હતુ, ત્યારબાદ બીજા વર્ષે 1949 માં 'RK' સ્ટુડિયોમાં શૂટ થઈ હતી ફિલ્મ ‘બરસાત', કે જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ. આ ફિલ્મમાં રાજકપૂર અને નરગિસે લીડ એક્ટર્સ અભિનય કર્યો હતો. ત્યારબાદ રાજકપૂરે અહીં એકથી એક ચડિયાતી ફિલ્મો શૂટ કરી. જેણે માત્ર કમાણી જ ન કરી પરંતુ નામના પણ ખૂબ મેળવી. અહીં રાજકપૂર 'આવારા' થયા અને અહીં જ 'શ્રી 420' બન્યા.

સ્ટુડિયો વેચાવાથી પરિવાર પણ નિરાશ અને કલાકારો પણ
આ સ્ટુડિયામાં તેમની ફિલ્મ ‘જિસ દેશમેં ગંગા બહેતી હે' શૂટ થઈ હતી તો અહીં મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ, પ્રેમ રોગ, રામ તેરી ગંગા મેલી શૂટ કરવામાં આવી હતી. વર્ષ 1988 માં રાજકપૂરે દુનિયામાંથી વિદાય લીધી. ત્યારબાદ કેટલીક ફિલ્મો પ્રેમગ્રંથ, હિના અને આ અબ લોટ ચલે પણ શૂટ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે ચેમ્બુરમાં સ્થિત આરકે સ્ટુડિયોની દેખરેખનું કામ રાજકપૂરના નિધન બાદ રણધીર કપૂર પાસે હતુ. આ સ્ટુડિયો વેચાવાથી જ્યાં કપૂર ખાનદાન દુઃખી છે ત્યાં આ સ્ટુડિયોમાં બનેલી ફિલ્મોમાં કામ કરનારા કલાકારો પણ આ વાતથી ઘણા નિરાશ છે.

ગજબ છે લોકોની કહાની
આરકે સ્ટુડિયોના લોકોની વાત કરીએ તો તેને કોઈએ ડિઝાઈન નહોતો કર્યો. તે એક અચાનકથી આવેલા વિચારનું પરિણામ હતુ. આરકે ફિલ્મ્સના બેનર હેઠળ જે પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ તે હતી બરસાત. એટલા માટે તે ફિલ્મના જ એક સીનને સ્ટુડિયોનો લોગો બનાવી દેવામાં આવ્યો. આ લોગોમાં રાજકપૂર નરગિસને પોતાના હાથોમાં લે છે અને કેપિટલ લેટર્સમાં લખેલા આરકે ઉપર ઉભા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
