Hindu New Year 2021 : જાણો કેમ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે નવુ વર્ષ?
દિવાળીના બીજા દિવસે ગુજરાતીઓ પોતાનું નવું વર્ષ ઉજવે છે. તેઓ તેને બેસતુ વરસ કહે છે અને લોકો તેમના મિત્રો અને પરિવાર સાથે ઉજવે છે. હિંદુ પંચાંગ અનુસાર ઓક્ટોબર અને નવેમ્બર મહિના એ ઉત્સવના મહિના છે.
દિવાળીના બીજા દિવસે ગુજરાતીઓ પોતાનું નવું વર્ષ ઉજવે છે. તેઓ તેને બેસતુ વરસ કહે છે અને લોકો તેમના મિત્રો અને પરિવાર સાથે ઉજવે છે. હિંદુ પંચાંગ અનુસાર ઓક્ટોબર અને નવેમ્બર મહિના એ ઉત્સવના મહિના છે. ધન તેરસથી લઈને ભાઈ બીજ સુધી લોકો આ પાંચ દિવસની ઉત્સવની મોસમ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવે છે.
દિવાળી એ વર્ષનો અંત છે અને લોકો તેને ફટાકડા ફોડી, મીઠાઈઓ અને પારિવારિક મેળાવડા સાથે ઉજવે છે. જેના બીજા દિવસે નવું વર્ષ શરૂ થાય છે.

શા માટે આપણે તેને નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ? આ નવા વર્ષની ઉજવણી પાછળની પૌરાણિક કથા શું છે? તે શું ધાર્મિક મહત્વ ધરાવે છે? તો ચાલો આ ભવ્ય તહેવાર વિશે તમામ માહિતી જાણીએ!
ગુજરાતી નવા વર્ષ સાથે જોડાયેલી પૌરાણિક કથા
જેમ આપણે હિન્દુઓને જોયા છે, અને ખાસ કરીને ગુજરાતીઓ દિવાળીના બીજા દિવસે તેમના નવા વર્ષની ઉજવણી કરે છે, પરંતુ દરેક અન્ય તહેવારોની જેમ જ, આપણી દિવાળી અને નવું વર્ષ પણ કેટલાક આવશ્યક ધાર્મિક મહત્વ અને સંદેશાઓ ધરાવે છે.
આ ઉપરાંત આપણી સંસ્કૃતિ હંમેશા તહેવારો અને ઉત્સવોને લોકો માટે કેટલાક સમજદાર શિક્ષણ અથવા પાઠ સાથે લહેરાવે છે. દિવાળી અને નવું વર્ષ પણ એક સંદેશ ફેલાવે છે. આવો જાણીએ હિન્દુ નવા વર્ષ પાછળની પૌરાણિક કથા...
આપણી પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે કૃષ્ણએ પૃથ્વીના નિર્દોષ લોકોને હેરાન કરતા દુષ્ટ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. તે સિવાય આ દિવસે ભગવાન રામ તેમના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તેથી આપણે બધા અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરીએ છીએ. તેથી જ આપણે નવા વર્ષનું સ્વાગત રોશની અને ફટાકડાથી કરીએ છીએ. વાઘ બારસથી જ દિવાળી પર્વની ઉજવણીની શરૂઆત થાય છે.
આ દિવસ સાથે જોડાયેલી બીજી કથા ભગવાન વિષ્ણુ અને રાજા મહાબલિની છે. આ તહેવાર ભગવાન વિષ્ણુ દ્વારા રાજા મહાબલિને આપેલા વરદાનની ઉજવણી કરે છે. વરદાન મુજબ તે દર વર્ષે આ દિવસે તેમના રાજ્યની મુલાકાત લઈ શકે છે કે, અને તેમના લોકો સુખી, સંતુષ્ટ અને સમૃદ્ધ છે તે જોઇ શકે છે.
જો કે, ભગવાન વિષ્ણુએ મહાબલિની ઉદારતાના બદલામાં આ વરદાન આપ્યું હતું. વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ તેમના રાજ્યમાંથી ત્રણ પગલા જમીન માગી હતી. પ્રથમ બે પગલામાં તેમણે સમગ્ર આકાશ અને જમીનને આવરી લીધી હતી, તેથી ત્રીજા પગલા માટે મહાબલિએ ભગવાન વિષ્ણુને પોતાનું માથું અર્પણ કર્યું હતું.

આ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને પાતાળ લોકનો રાજા બનાવતા અને તેમને પાતાળ લોક જતા પહેલા આ વરદાન આપ્યું હતું.
આ દિવસ સાથે જોડાયેલી બીજી ધાર્મિક વિધિ એ બાષ્પીભવન થયેલા તળાવોમાંથી મીઠું એકઠું કરવું અને તેનું વિતરણ કરવું છે. લોકો આવા તળાવમાંથી મીઠાના પથ્થરો એકઠા કરે છે અને દરેકને વહેંચે છે. તે 'સબરસ અર્થ' તરીકે ઓળખાય છે. જેનો મતલબ એ છે કે, આપણે સૌ એક છીએ, આ સબરસ આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.
લોકો ભેટ સોગાત અને મીઠાઈઓ સાથે એકબીજાની મુલાકાત લે છે અને શુભેચ્છા પાઠવે છે. તેઓ મિત્રો અને પરિવારને "નૂતન વર્ષાભિનંદન" સાથે શુભેચ્છા પાઠવે છે જેનો અર્થ છે કે, આ નવું વર્ષ તેમના માટે સુખ, શાંતિ અને અને સમૃદ્ધિ લાવશે.
બેસતુ વર્ષ - ગુજરાતનું નવું વર્ષ
કાર્તિક સુદ એકમ, જેને ગુજરાતી નવું વર્ષ (બેસતુ વર્ષ) તરીકે પણ ઓળખવામાં આવે છે તે કાર્તિક મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે દિવસની શરૂઆત વહેલી સવારે ફટાકડા ફોડીને થાય છે. હિંદુઓ માને છે કે, નવો દિવસ સવારના 4 કલાકથી શરૂ થાય છે.
દિવાળી એ સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે. લોકો નવા વર્ષને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે છે. મિત્રો અને પરિવાર સાથે ખરીદી, મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ માણવામાં આવે છે. આ સિવાય લોકો દિવા પ્રગટાવે છે, વિવિધ પ્રકારના ફટાકડા ફોડીને ઉજવણી કરે છે.
આ સાથે જ મીઠાઈઓ અને ભેટ સોગાતો સાથે મિત્રો અને પરિવારની મુલાકાત લે છે. ગુજરાતી નવા વર્ષને આવકારવા લોકો રંગબેરંગી રંગોળી પણ બનાવે છે, જે ઈચ્છાનું પ્રતીક છે કે, આગામી વર્ષ તેમના અને તેમના પરિવારના સભ્યો માટે તેજસ્વી અને રંગીન હોય.
લોકો આ શુભ દિવસે તેમના મિત્રો અને પરિવારને મળે છે અને શુભેચ્છા પાઠવે છે. તેઓ એકબીજાને આનંદ, સમૃદ્ધિ અને શાંતિથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. ગુજરાતી નવા વર્ષ નિમિત્તે લોકો વડિલોના આશીર્વાદ લે છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રાર્થના પણ કરે છે.
ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ
- આગામી વર્ષ માટે શુભેચ્છાઓ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે નુતનવર્ષાભિનંદન!
- નૂતન વર્ષાભિનંદન.
- તમને અને તમારા ઘરના તમામ સભ્યોનું વર્ષ સમૃદ્ધ રહે. નૂતન વર્ષાભિનંદન.
- તમને અને તમારા પરિવારને અદ્ભુત હિન્દુ નવા વર્ષ 2021ની શુભેચ્છાઓ.
- આ નવું વર્ષ તમારા માટે સારું સ્વાસ્થ્ય, સફળતા અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના.
- આ નવા વર્ષમાં ભગવાન તમને તમારા બધા સપના પૂરા કરવા અને તેને જીવનમાં સમૃદ્ધ બનાવવા માટે અપાર શક્તિ આપે !!
- આ નવું વર્ષ તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવી પ્રાર્થના. હિંદુ નવા વર્ષની શુભકામનાઓ.
- બીજું વર્ષ અહીં આનંદના વેશમાં આવી રહ્યું છે. જૂના વર્ષને વિદાય આપો અને નવા વર્ષની શરૂઆત સકારાત્મકતાને આત્મસાત કરો. હિંદુ નવા વર્ષની શુભકામનાઓ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
