જાણો પુરાણોમાં કેમ કહેવાયું છે જમીન પર બેસીને જમવું જોઇએ
[શાસ્ત્ર] હંમેશા આપણે જ્યારે કોઇ ધાર્મિક પ્રસંગમાં જઇએ છીએ ત્યારે આપણે જોઇએ છીએ કે ત્યાં લોકોને જમવાનું જમીન પર બેસાડીને આપવામાં આવે છે. હવે તે લંગર હોય કે ભંડારો, પૂજા-પાઠ હોય કે જાપ-મંત્રના દરેક પ્રસંગે સાધુ-પંડિતોને ભોજન જમીન પર બેસાડીને જ કરાવવામાં આવે છે, શું આપે ક્યારેય વિચાર્યું છે એવું શા માટે?
આપનામાંથી ઘણા લોકોનો જવાબ હશે કે અરે આ તો પૂજા પાઠનું કામ છે, નહીંતર જમીન પર બેસીને કોણ જમે છે આજકાલ.. આજે તો દરેકજણ ડાઇનિંગ ટેબલ પર બેસીને આરામથી ભોજન કરે છે પરંતુ મિત્રો આપને જણાવી દઇએ કે જમીન પર બેસીને ભોજન કરનાર વ્યક્તિ સ્વસ્થ્ય અને નિરોગી રહે છે.
દરેક વસ્તુની પાછળ એક મોટુ કારણ રહેલું હોય છે, આપણા હિન્દુ પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ પણ છે કે તેની પાછળ મોટું અને સચોટ કારણ પણ છે, જેને આપણા દેશના જ નહીં પરંતુ વિદેશના વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે.
આવો જોઇએ કે શું છે જમીન પર બેસીને ભોજન કરવાનું રહસ્ય...

સુખાસન અથવા પદ્માસન
આપ જ્યારે પણ જમીન પર બેસીને ભોજન કરશો તો આપ હંમેશા પલાઠી મારીને બેસશો, જે સુખાસન અથવા પદ્માસનની અવસ્થા છે, આપ નહીં ઇચ્છતા પણ યોગ કરી લેશો જે આપના પાચનના દ્રષ્ટિકોણથી ખૂબ જ જરૂરી છે.

લોહીનું યોગ્ય પરિભ્રમણ
આજે સીધી પીઠ કરીને નીચે બેસશો જેનાથી આપની માંસપેશિયોમાં તાણ ઓછો થશે અને આપના લોહીનું પરિભ્રમણ યોગ્ય દિશામાં થશે જેનાથી જેના દ્વારા ભોજનને જલદી પચવામાં મદદ મળશે.

પેટ અને પીઠ માંસપેશિયોમાં લચક
જમીન પર બેસીને ભોજન કરવાથી થાળી લેવા માટે આપે ઝુકવુ પડે છે, અને જમવાનું ઉઠાવ્યા બાદ આપ પાછળ થઇ જાવ છો. આ પ્રકારે આપ ઘણીવાર આગળ પાછળ થઇએ છીએ જેનાથી પેટ અને પીઠની માંસપેશીઓમાં લચક બની રહે છે, જે ભૂખમાં વધારો કરે છે.

દિલ-દિમાગ બને છે સ્વસ્થ
પદ્માસનમાં બેસીને ખાવાથી આપ માનસિક તણાવથી દૂર થઇ જાવ છો, જેનાથી આપનું દિલ અને દિમાગ બંને સ્વસ્થ રહે છે.

ઘુંટણની સમસ્યામાં રાહત મળે છે
જમીન પર બેસવા માટે આપને આપના ઘુંટણ વાળવા પડે છે. જેનાથી આપના ઘુંટણની પણ સારી એવી કસરત થઇ જાય છે, અને તેમાં રાહત મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
