જાણો શું છે જાપાનીયોની લાંબી ઉંમરનું રહસ્ય?
દુનિયામાં સૌથી વધુ ઉંમર ધરાવતા જાપનના મિસાઓ ઓકાવાનું નિધન 1 એપ્રિલ 2015 થયું. તેમના મત મુજબ તેના લાંબા આયુષ્ય પાછળ તેમની 8 કલાકની ઊંધ જવાબદાર હતી. તે સમયથી સૂતા હતા અને 8 કલાકથી વધારે ઊંધ નહતા લેતા.
જો કે આ તો થઇ મિસાઓ ઓકાવાની વાત. પણ સરેરાશ રીતે પણ જાપાનીયાઓ લાંબુ જીવન જીવે છે. વળી તે તેમના છેલ્લા દિવસ સુધી કાર્યક્ષમ પણ રહે છે. ત્યારે જાપાનીઓના આ લાંબા અને ક્રિયાશીલ જીવનનું પાછળ શું રહસ્ય છે તે અમે તમને જણાવાના છીએ.
આજકાલ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સ્વસ્થ અને એક્ટીવ રહેવું ગમે છે. ત્યારે જાપાનીઓના આ હેલ્થ સિક્રેટ તમને પણ લાભ પહોંચાડી શકે છે. ત્યારે જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો શું રહસ્ય છે જાપાનીયાની હેલ્થનું...

પૂર્વી જડબુટ્ટીઓનું સેવન
જાપાની એલોપેથિક દવાઓ પર નિર્ભર નથી રહેતા. તેઓ પૂર્વી જડીબુટ્ટીઓનું સેવન વધુ કરે છે.

લાલ માંસ નહીં માછલી
વળી અહીના લોકો લાલ માંસના બદલે માછલી ખાવાનું પસંદ કરે છે. જેથી તે ઓછી ફેટ અને કોલોસ્ટ્રોલ વાળું માંસ ખાઇને વધુ ન્યૂટ્રિયન્ટ્સ, વિટામિન અને તેલ મેળવે છે.

સાફ-સફાઇ
જાપાન દુનિયાના સૌથી વધુ સાફ સફાઇ પસંદ દેશમાંથી એક છે. જાપાની લોકો પણ સંક્રમણ દ્વારા થતા રોગોને લઇને વધુ સચેત હોય છે. અહીં તેઓ લાઇબ્રેરીમાં જ્યારે પુસ્તક પાછા આપવા જાય છે ત્યારે યૂવી ટેકનોલોજી દ્વારા તે કિટાણુંને મારી નાખે છે. જે બતાવે છે કે તે કિરાણુંજન્ય બિમારી પ્રત્યે કેટલા સભાન છે.

શાકભાજી
જાપાનીઓ ખાવામાં ખૂબ બધી લીલી શાકભાજી હોય છે. વળી તે આ શાકબાજીને કાચી કે પછી થોડીક જ બોઇલ કરીને ખાય છે. વળી તે દાળો પણ સારા પ્રમાણમાં ખાય છે. જેનાથી તેમને એન્ટીઓક્સીડન્ટ અને ફાઇટોકૈમિકલ્સ મળે છે અને તે હદય રોગ અને કેન્સર જેવી બિમારીઓથી દૂર રહે છે.

રોજ કસરત
દરેક ઘરનો એક નિયમ હોય છે કે તેમણે યોગા, કરાટે કે માર્શલ આર્ટના ક્લાસમાં જવાનું જ. વળી તે ઘરે પણ રોજ આની પ્રેક્ટિસ કરે છે. અને પોતાની બોડીને ફીટ રાખે છે.

ઓછું ખાવું
જાપાનીઓ ભરપેટ ખાવાનું નથી પસંદ કરતા તેમના મત મુજબ ભૂખ કરતા હંમેશા થોડું ઓછું જ ખાવું જોઇએ. જેના કારણે તેમની ઉંમર ધીરે ધીરે ઓછી થાય છે.

એક્ટિવ
જાપાનમાં રિટાયર થવાની કોઇ ઉંમર નથી. 60 વર્ષ પછી પણ તમે કામ કરી શકો છો. વળી તે લોકોને ઘરમાં આરામથી બેસવું કે બપોરે સૂઇ જવાને પણ ઓછું પસંદ કરે છે. અને તે પોતાને હંમેશા બીઝી રાખે છે.

જીવનને જીવતા
ખરાબ પરિસ્થિતીઓમાં પણ તે હંસી ખુશી જીવી જાણે છે. બેકારની ચિંતા, લડાઇ ઝગડાથી તે દૂર રહે છે. વળી તેમને લોકોની મદદ કરવી, સોશ્યલ વર્ક જેવી વસ્તુઓ પણ પસંદ છે. સાથે જ તેમનું માનવું છે કે જીવનમાં દરેક વ્યક્તિ કોઇ ખાસ કારણને પૂર્ણ કરવા માટે જન્મ લે છે.

ગંદી આદતો
સ્મોકિંગ, દારૂ, મીઠા વાળું ભોજન, જરૂર કરતા વધારે ખાવું જેવી ખરાબ આદતો જાપાનીઓની દિનચર્યામાં નથી. માટે તે લાંબા સમય સુધી જીવે છે.

હાસ્ય
જાપાનીઓ ખુલીને હસવાનું પસંદ કરે છે. હસવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત બને છે. વળી વિજ્ઞાન પણ કહે છે કે રોજ 15 મિનિટ હસવું જોઇએ. તો તમે પણ જાપાનીઓના આ રહસ્યોને જીવનમાં અપનાવો અને ફીટ રહો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
