આવી ગયું છે ચોમાસુ, આ જીવલેણ રોગોથી થઇ જાવ સાવધાન
[લાઇફસ્ટાઇલ] વરસાદની સિઝનમાં હંમેશા પાણીજન્ય રોગો ફેલાતા હોય છે, જેને ટાયફોઇડ, ઝાડા-ઉલ્ટી અને કમળા જેવા રોગો થાય છે. એ પણ ભય બની રહે છે કે શ્વાસ સંબંધી સમસ્યાઓ વિકટરૂપ ધારણ કરી લે. જોકે હવામાં ઘણી બધી નમી હોય છે એટલા માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.
હવામાનમાં પરિવર્તનના કારણે લોકો વાયરલ ફીવરના પણ શિકાર થઇ જાય છે. આપ જે ભોજન કરો છો અને જે પાણી પીવો છો, તે અંગે ખૂબ જ સાવધાન રહો. ઘરની બહાર કંઇક ખાવું, ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ, બિલકૂલ ખાવા જોઇએ નહીં. આવો જાણીએ કે ચોમાસાની ઋતુમાં કયા કયા રોગો થાય છે અને તેના લક્ષણો શું છે.

મલેરિયા
મલેરિયા એક ખતરનાખ સંક્રમણ રોગ છે જે પ્રોટોઝોઆ એનોફિલેઝ માદા મચ્છર દ્વારા ફેલાય છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાય છે.

લક્ષણ
તાવ, શરદી, ઉપકા, આખા શરીરમાં દુ:ખાવો વગેરે જેવા તેના લક્ષણો છે. અને ગંભીર મામલામાં દર્દી બેભાન પણ થઇ જાય છે અને તેનું મોત પણ થઇ શકે છે.

કોલેરા
કોલેરા એક પ્રકારનો સંક્રમક રોગ છે, જે વરસાદની ઋતુમાં ઝડપથી ફેલાય છે. કોલેરા વિબ્રિઓ કોલેરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે. ખરાબ ખોરાક અને ગંદુ પાણી પીવાથી બેક્ટેરીયા શરીરમાં પ્રવેશ કરે છે અને આંતરડા પર અસર કરે છે. ખાસ કરીને માખી આ રોગના ફેલાવા માટે કારણભૂત મનાય છે.

લક્ષણ
આ રોગમાં જોરદાર ઊલટીઓ અને ઝાડા થાય છે. ઊલટીની સાથે ઝાડા પણ થઇ જાય છે. શરીરનું બધું જ પાણી નીકળી જાય છે અને શરીરમાં અશક્તિ આવી જાય છે.

ટાઇફોઇડ
આ સાલ્મોનેલા ઇંટેરિકા નામના બેક્ટેરિયા એટલે કે જીવાણુંઓથી ફેલાય છે. આ બીમારીમાં ખૂબ જ તાવ આવે છે, જે ઘણા દિવસોથી રહે છે. તાવ ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે, પરંતુ સામાન્ય નથી થતો. ટાઇફોઇડનું ઇન્ફેક્શન થવાના એક અઠવાડીયા બાદ રોગના લક્ષણ દેખાવા લાગે છે. ઘણી વાર બે-બે મહિના સુધી તેના લક્ષણ દેખાય છે.

લક્ષણ
ભૂખ ઓછી લાગવી અને ઊલ્ટીઓ કરવી, માથાનો દુ:ખાવો અને શરીરનો દુ:ખાવો રહે છે. સુકી ખાંસી આવવી અને પેટમાં દુ:ખાવો. યોગ્ય સમયે સારવાર નહીં થવાથી દર્દીના આંતરડામાં લોહીનું રિસાવ થવા લાગે છે.

હેપેટાઇટિસ
એપેટાઇટિસ એ એક વાયરલ સંક્રમણ છે અને તેમાં લીવર પ્રભાવિત હોય છે. હેપેટાઇટિસની અન્ય રૂપોની તુલનામાં હેપેટાઇટિસ એ ખૂબ જ જટિલ નથી હોતું. હેપેટાઇટિસ એ એક રોગીમાંથી બીજા વ્યક્તિને થઇ જાય છે. જેમાં આહાર અને જળ માધ્યમનો પ્રયોગ થાય છે. ખરાબ ભોજન અને પ્રદુષિત પર્યાવરણ આ રોગને ફેલાવવાના મુખ્ય સાધનો છે.

લક્ષણ
તેના મુખ્ય લક્ષણ છે, લિવરમાં સોઝો, જ્વર, ઠંડી લાગવી, ઉલટી થવી, ભૂખ ના લાગવી વગેરે....
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
