આવો જાણીએ કેવી રીતે તણાવના કારણે વધે છે મેદસ્વીપણું!
[સ્વાસ્થ્ય] આજકાલના સમયમાં બાળક હોય કે વૃદ્ધ, તણાવ તમામને રહે છે. તેનાથી બચવું ઘણું મુશ્કેલ છે પરંતુ કુલ પર્સનાલિટી માટે આ કામ ખૂબ જ મુશ્કેલ પણ નથી. તણાવના કારણે માનસિક જ નહીં પરંતુ શારીરિક નુકસાન પણ થાય છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે તણાવના કારણે આપનું વજન વધી શકે છે. આપ તણાવમાં છો અને કેટલાંક સમય બાદ આપને લાગશે કે આપનું શરીર એકદમથી જાડુ થઇ ગયું છે, આપને જુના કપડા ફીટ નથી થઇ રહ્યા આ તમામ સમસ્યાઓ આપને સતાવા લાગશે.
તો આવો જાણીએ કે કઇ રીતે તણાવ આપની જાડાઇનું કારણ બને છે....

હાઇ કેલરીયુક્ત ખોરાક
તણાવ દરમિયાન આપને ધ્યાન નથી રહેતું અને આપ હાઇ કેલરીની ચીજો પણ ધડાધડ ખાવા લાગો છો. પરંતુ આપ વર્કઆઉટ નથી કરતા જેના કારણે આપનું શરીર વધતું જાય છે.

ખાવાનું ના ખાવું
તણાવ દરમિયાન દિમાગ એટલું વ્યાકુળ રહે છે કે ઘણી વાર આપ યોગ્ય સમયે ભોજન કરવાનું જ ભૂલી જાવ છો. જેનાથી બોડીની મેટાબોલિક પ્રક્રિયામાં અડચણ ઊભી થાય છે. આમ પણ ખાવાનું ના ખાવાથી ક્યારેય પણ મેદસ્વીપણું ઓછું નથી થતું, તેના માટે વર્કઆઉટ કરવું પડે છે.

જ્યારે જુઓ ત્યારે કંઇકને કંઇક ચાવતા રહેવું
તણાવ દરમિયાન વ્યક્તિ દરેક સમયે કંઇકને કંઇક ચ્યુંઇંગ કરતો રહે છે, જેનાથી તેને કંઇક રાહત લાગે છે. પરંતુ આ ચક્કરમાં તે કેટલી કેલરી લઇ લે છે તેનો અંદાજો પણ તેને નથી લાગતો. આ કારણે જ, વજન વધી જાય છે.

ઊંઘ ના આવવી
તણાવ દરમિયાન ઊંઘ ખૂબ જ ઓછી આવે છે. જેનાથી બાયોમેટ્રિક ચક્ર થોડુ ડિસ્ટર્બ થઇ જાય છે અને ઊંઘમાં સતત ખલેલ પેદા થાય છે. એવામાં વ્યક્તિ કંઇકને કંઇ ખાતો રહે છે. અને તેની પાચન ક્રિયા યોગ્ય રીતે નથી થઇ શકતી, પછી શું વજન વધી જાય છે.

કેફી, સિગરેટ અને દારૂનો નશો
તણાવ દરમિયાન કોઇપણને આ ત્રણેય વસ્તુની લત લાગી જાય છે. પરંતુ તેના સેવનથી શરીરમાં કોરટીસોલનું સ્તર વધી જાય છે અને બોડીનું ફેટ બર્ન થઇ શકતું નથી જેટલું થવું જોઇએ.

તણાવ હોરમોન્સનું નિકળવું
તણાવ દરમિયાન એડ્રેનલ ગ્લેંડ એક હોરમોન્સને સ્ત્રાવિત કરે છે જેને કાર્ટિસોલ કહે છે. આ હારમોન્સમાં એવા ગુણ હોય છે કે તણાવની તીવ્રતા વધી જાય છે. આ હોરમોન્સના ફેટના સ્તરમાં વધારો થાય છે.

આંતરડાની ચરબીમાં વધારો
તણાવના કારણે આંતરડાની ચરબી વધી જાય છે જે પેટના નીચલા ભાગમાં વધેલી લાગે છે. એક સ્વસ્થ વ્યક્તિમાં 1થી 10 ટકા આંતરડાની ચરબી હોય છે પરંતુ તણાવગ્રસ્ત વ્યક્તિમાં તેની ટકાવારી વધારે હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
