આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, આવી રીતે પૂજા કરશો તો કષ્ટ દૂર થશે
ગાંધીનગર, 28 જુલાઇ: શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસનો મહિનો શ્રાવણ શરૂ થતાં જ પ્રકૃતિની હરિયાળી યુવાનો પર છવાઇ ગઇ છે. વેદો અને શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાને શ્રદ્ધા અને ભક્તિનો મહિનો કહેવામાં આવ્યો છે, બીજી તરફ સાહિત્યકારોએ વિવિધ રૂપમાં તેના સૌંદર્યને કંડાર્યું છે. આ મહિનામાં શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે, માટે શિવાલયોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શહેર તથા દેશના શિવમંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કાવડિયાઓ જળથી શિવલિંગ પર અભિષેક કરી રહ્યાં છે.
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના મહત્વને સમજતાં મોટી સંખ્યામાં શિવભક્તો સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરી શિવજી પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યાં છે. વિદ્વાનોનું માનવું છે કે આ દિવસે શિવજીની આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આમ તો શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવમંદિરોમાં આડા દિવસોની અપેક્ષાએ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવવાથી રોનક વધી જાય છે. શ્રદ્ધાળુ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પૂજાને વધારે મહત્વ આપે છે.


શિવભક્તો દ્વારા જળાભિષેક
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના મહત્વને સમજતાં મોટી સંખ્યામાં શિવભક્તો સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરી શિવજી પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યાં છે.

મનોકામના થાય છે પૂર્ણ
વિદ્વાનોનું માનવું છે કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવજીની આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

શિવલિંગ પર જળાભિષેક
શ્રાવણ મહિનામાં સ્વંય ભગવાન શંકર પૃથ્વી પર વાસ કરે છે. શિવભક્તો આ મહિનામાં જ હરિદ્વાર તથા ગંગોત્રીથી જળ લાવીને પોતાના ઘરમાં સ્થાપિત શિવલિંગ પર જળ ચડાવે છે.

શિવપુરાણમાં ઉલ્લેખ
જે શ્રદ્ધાળુ શ્રાવણ મહિનામાં રૂદ્રાભિષેક કે મહામૃત્યુંજયનો જાપ કરે છે, તે તન, મન તથા ધનથી સંપન્ન થાય છે. આયુષ્યમાં વધારો થાય છે. શરીરના કષ્ટ દૂર થાય છે. એવો શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રૂદ્રાભિષેક કરવાથી થાય છે કષ્ટ દૂર
દૂધ, દહીં, મધ, ઘી, ગંગાજળ, બિલીપત્ર, બિલીફળ, આકડાના ફૂલ, ભાંગ, ધતૂરો તથા શેરડીના રસથી ભગવાન શંકરને રૂદ્રાભિષેક કરવાથી કષ્ટ દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ મળે છે.
આ મહિનામાં સ્વંય ભગવાન શંકર પૃથ્વી પર વાસ કરે છે. શિવભક્ત આ મહિનામાં જ હરિદ્વાર તથા ગંગોત્રીથી જળ લાવીને પોતાના ઘરમાં સ્થાપિત શિવલિંગ પર જળ ચડાવે છે. કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરમાં જઇને શિવલિંગ પર જળ ચઢાવે છે. જે શ્રદ્ધાળુ આ મહિનામાં રૂદ્રાભિષેક કે મહામૃત્યુંજયનો જાપ કરે છે, તે તન, મન તથા ધનથી સંપન્ન થાય છે. આયુષ્યમાં વધારો થાય છે. શરીરના કષ્ટ દૂર થાય છે. એવો શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દૂધ, દહીં, મધ, ઘી, ગંગાજળ, બિલીપત્ર, બિલીફળ, આકડાના ફૂલ, ભાંગ, ધતૂરો તથા શેરડીના રસથી ભગવાન શંકરને રૂદ્રાભિષેક કરવાથી કષ્ટ દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ મળે છે. શ્રાવણ મહિનાના સોમવારનું અનોખુ મહત્વ હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
