માટે ભાજપમાં જોડાય છે સેના અને પોલીસ અધિકારીઓ
નવી દિલ્હી, 6 માર્ચ: પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહ ભાજપમાં જોડાયા તે પહેલાં મુંબઇના પોલીસના પૂર્વ કમિશ્નર સત્યપાલ સિંહ, રો ના પૂર્વ પ્રમુખ સંજીવ ત્રિપાઠી, પૂર્વ ગૃહ સચિવ આર કે સિંહે ભાજપનું સભ્યપદ મેળવ્યું. એવામાં એ પ્રશ્ન ઉદભવવા લાગ્યો છે કે શું કારણ છે કે સેના,પોલીસ અને પૂર્વ રક્ષા એજન્સીઓના પ્રમુખોએ ભાજપની તરફ વલણ કર્યું. આને 'મોદી લહેર'ની અસર માનવામાં આવે કે પછી આ અધિકારીઓની પોત પોતાના વિસ્તારોમાં પોતાની ભલાઇની ઝંખના. જો કે પૂર્વ આઇપીએસ અધિકારી કિરણ બેદીએ મનાઇ કરી દિધી પરંતુ અવાર નવાર તેઓ ભાજપમાં જોડાવવાના હોવાના સમાચાર આવતા રહે છે.
આ કોઇની છુપાયેલું નથી કે આર્થિક મોરચા પર સરકાર સંપૂર્ણપણે અસફળ રહી છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી તો વધી જ છે સાથે જ આતંકવાદી હુમલામાં પણ ગત દસ વર્ષોમાં મોટી સંખ્યામાં થયા. ખાસ વાત એ છે કે સરકાર તેમને રોકવાની વાત તો દૂર તેમના પર કોઇ આકરી કાર્યવાહીથી બચવાનો પ્રયત્ન કર્યો.
નક્સલવાદ, આતંકવાદના વાહક અને મજબૂત થતા ગયા. આતંકવાદના મુદ્દા પર સરકારે તૃષ્ટિકરણનો રસ્તો અપનાવ્યો અને વોટ બેંકનું રાજકારણ રમવું યોગ્ય સમજ્યું. વડાપ્રધાન મનમોહન સિંહ પોતાના પ્રથમ કાર્યકાળની અપેક્ષા બીજા કાર્યકાળમાં વધુ મજબૂર જોવા મળ્યા.
એવામાં કેટલાક એવા મુદ્દા છે જે સેના અને પોલીસનું વલણ સંભવિત સરકાર તરફ લઇ જાય છે.

સરકારના વલણે કર્યા નિરાશ
ગત કેટલાક વર્ષોમાં ભારતીય સેનાને સરકાર તરફથી કોઇ મદદ મળી નથી, ભલે તે હથિયારો ખરીદવાનો મુદ્દો હોય, પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવેલા સીમા ઉલ્લંખન હોય કે પછી ચીન દ્વારા ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો મુદ્દો હોય. દરેક વખતે સરકારે સેનાને ના તો કોઇ કાર્યવાહી વિશ્વાસ અપાવ્યો અને ના તો એ દર્શાવ્યું કે તેમની યાદીમાં સેના અને સુરક્ષાના મુદ્દે પણ મહત્વ ધરાવે છે.

નક્સલી હિંસાને રોકવાનો પ્રયત્ન નહી
વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના ભાષણોમાં પણ સ્વિકાર્યું છે કે નક્સલવાદ આજે દેશ માટે એક મોટી સમસ્યા બની ચુક્યો છે પરંતુ યુપીએ સરકારે પોતાના કાર્યકાળમાં તેનો સામનો કરવા માટે નક્કર પ્રયત્ન ન કર્યા. ત્યાં સુધી કે 2010માં દંતેવાડામાં 76 જવાનોની હત્યા બાદ પણ સરકારે આ મુદ્દે લખાણપટ્ટી કરી ભરી વાળ્યું. હવે માઓવાદી દેશના મુખ્ય શહેરો તરફ વળી રહ્યાં છે, તેમની પાસે સેના કરતાં સારા અને અત્યાધુનિક હથિયાર છે.

સીઆરપીએફના જવાનોએ નોકરી છોડી
સરકાર પોલીસ દળનો આત્મવિશ્વાસ વધારવામાં પુરી રીતે નિષ્ફળ રહી. ગત કેટલાક વર્ષોમાં 65000 કેન્દ્રિય પોલીસ દળના જવાનોએ નોકરી છોડી. જ્યારે ફક્ત ચાર વર્ષમાં 160000 કેન્દ્રિય પોલીસ દળના ઓફિસરોએ રાજીનામું આપી દિધું. કહેવામાં આવે છે કે જવાનોમાં સરકારની ઉદારવાદી નીતિના લીધે તણાવ ઘર કરી ગયો છે. માટે સરકાર આ મોરચે પણ એકદમ નિષ્ફળ રહી છે.

આતંક પર તુષ્ટિકરણનું રાજકારણ
આતંકી ઘટનાઓ પર ભારત સરકારે જે ઢીલી નીતિ અપનાવી તે કદાચ કોઇ દેશે અપનાવી હશે. જ્યારે રાજ્યની સરકારોએ આ ઘટનાઓ પર કાર્યવાહી કરી તો ગૃહમંત્રી નિવેદન આપ્યું કે અલ્પસંખ્યકોને નિશાન ન બનાવવામાં આવે. મતલબ સરકારની મંશા આતંકવાદના મુદ્દે પણ તુષ્ટિકરણ કરી રહી છે. એવામાં સવાલ એ પણ છે કે શું દેહ્સની સુરક્ષાથી મોટું કંઇ હોઇ શકે? સરકારના ઉદાસીન વલણના લીધે ઇન્ડિયન મુજાહિદ્દીન આજે ભારતમાં વધુ મજબૂત થઇ ગયું છે, તાજેતરમાં જ આ સંગઠને બોધગયા અને પટણા રેલીમાં બ્લાસ્ટ કર્યા.

બીએસએફ જવાનોને મજબૂર કરી દિધા
ભારતની બોર્ડરની સ્થિતી પણ સારી નથી. બાંગ્લાદેશ સરકારને ચેતાવણી આપવાના બદલે ભારત સરકારે બીએસએફ જવાનો માટે નિર્દેશ જાહેરા કર્યા કે તે અનધિકૃત રીતે સીમા પાર રહેલા જવાનો પર ગોળીઓ ન ચલાવે. જો તે આમ કરે છે કે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. ઘણી કિસ્સા એવાપણ બન્યા છે કે જ્યારે બાંગ્લાદેશના સ્મગલરોએ બીએસએફ જવાનોને ખરાબ રીતે માર્યા અને મારી દિધા. આવી સ્થિતીએ જવાનોના હાથ બાંધી દિધા તો બીજી તરફ બાંગ્લાદેશના લોકોને ખુલ્લેઆમ ઘુસણખોરીની તક મળી ગઇ.

સારા હથિયારો નથી
પૂર્વમાં ભારતના ઇન્ડિયન ચીફ એર સ્ટાફ એર માર્શલે એક નિવેદનમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન અને ચીનની સેનાઓ મળીને ભારત પર હુમલો કરે છે તો ભારતીય સેનાની પાસે તે હુમલાનો કોઇ જવાબ હશે નહી. વધુ યાદ કરાવવાની જરૂર નથી કે હવે અત્યાર સુધી ઘણા રક્ષા સોદામાં રૂશ્વતના કેસ ઉજાગર થઇ ચૂક્યાં છે, તો બીજી તરફ એ પણ સત્ય છે કે ભારતની સેનાઓને યુદ્ધના હથિયારો મળવામાં ઘણું મોડું થઇ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
