જાણો કલયુગ અને પૃથ્વીના અંત સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો
વેદ મુજબ કલયુગ એટલે અજ્ઞાનતા અને અનૈતિકતાનો યુગ. માનવામાં આવે છે કે કલયુગ કે કલિયુગનો પ્રારંભ 3102 ઇસાપૂર્વમાં થયો હતો. જ્યારે પાંચ ગ્રહ મંગળ, બુધ, શુક્ર, બૃહસ્પતિ અને શનિ મેષ રાષિ પર 0 ડિગ્રી પર થયા હતા. ત્યાં સુધી ભગવાન કૃષ્ણનો યુગ જતો રહ્યો હતો. કલયુગ પહેલા સતયુગ, ત્રૈતાયુગ અને દ્વાપરયુગ જેવા યુગનો ઉલ્લેખ કરવામાં આવે છે.
કલયુગને સૌથી અત્યાચારી અને અમાનવીય યુગ માનવામાં આવે છે. આ ચાર યુગોની શરૂઆત સતયુગથી થઇ હતી. અને અંત કલયુગમાં થશે.
કલયુગને સૌથી અત્યાચારી અને અમાનવીય યુગ માનવામાં આવે છે. કહેવાય છે કે સતયુગ કરતા કલયુગમાં સ્ત્રી અને પુરુષોમાં આધ્યાત્મિક અભાવ અને અનૈતિકતા જોવા મળશે. કલયુગ લાલચ, દુરાચાર, તૃષ્ણા, ક્રોધ, વાસના, સ્વાર્થ ભરપૂર રૂપે લોકોમાં જોવા મળશે. માણસ જ માણસનો દુશ્મન હશે અને કોઇના માટે જીવવા કરતા માણસ ખાલી પોતાના માટે જીવશે.
કેટલાક વિધવાનોનું માનવું છે કે કલયુગની કાલરાત્રિનો અંત કરવા ભગવાન ક્લિક રૂપ ધારણ કરશે અને તેના પછી ફરી સતયુગનો પ્રારંભ થશે. પણ સવાલ તે ઊભો થાય છે કે કલયુગનો અંત ક્યારે થશે. અને શું તેના પછી ખરેખરમાં બધુ ઠીક થઇ જશે ત્યારે કલયુગ, પૃથ્વીના અંત અને માનવજાતના ઉદયની આવી જ કેટલીક રસપ્રદ વાતો જાણો અહીં...

કલયુગ
સિદ્ઘાંતો મુજબ કલયુગમાં 4,32,000 માનવ વર્ષ સામેલ છે. દ્વાપરયુગ પછી કલયુગની શરૂઆત થશે. જે 5000 ઇસાપૂર્વમાં સમાપ્ત થશે. આ પ્રકારે 4,27,000 માનવ વર્ષે કલયુગનો અંત થશે. આ યુગ પછી ફરીથી સતયુગનો પ્રવેશ થશે.

બ્રહ્માપુરાણ
બ્રહ્માપુરાણમાં કરેલા ઉલ્લેખ મુજબ કલિયુગની અવધિ 10 હજાર વર્ષ રહેશે. આ દરમિયાન માનવજાતિનું પતન થશે. મોટી સંખ્યામાં લોકો માર્યા જશે. સદગુણી લોકો જ સતયુગ સુધી રહેશે. અને પાપીઓનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કિરૂપ ધારણ કરશે.

અજીબ ધારણા
કેટલાક લોકોનું માનવું છે કે કલયુગના અંત સુધીમાં માનવ જાતિની આયુ માત્ર 12 વર્ષ રહી જશે અને વ્યક્તિનું શરીર માત્ર 4 ઇંચનું રહેશે.

કલયુગની અવધિ
કેટલાક ગ્રંથો અને મહાભારત ઉલ્લેખ મુજબ કલયુગની અવધિ 12000 વર્ષ છે. જો કે હાલના કેટલાક વિદ્વાનો તેમ પણ કહે છે કે કલયુગના અંત થઇ ગયો છે અને હાલ સતયુગની શરૂઆત થઇ છે.

5000 વર્ષ બાદ
તો કેટલાક માને છે પુરાણોના આધારે આજ થી 5000 વર્ષ કલયુગની શરૂઆત થશે. માયા કલેન્ડર મુજબ જેને ગ્રેટ સાઇકલનું નામ આપવામાં આવ્યું છે જેની પછી મહાન યુગનો પ્રારંભ થશે. જો કે આ એ જ કેલેન્ડર છે જેણે 12 ડિસેમ્બર 2012માં દુનિયાના અંતની વાત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
