પાકિસ્તાનમાં એક હજાર વર્ષ જૂનું શિવ મંદિર, શિવજીના આંસુઓથી બન્યું હતું આ મંદિર
મહાશિવરાત્રિનો તહેવાર ફક્ત આપણા દેશમાં નહીં, પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉજવાય છે. પાકિસ્તાનમાં પણ ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો છે.
મહાશિવરાત્રિનો તહેવાર ફક્ત આપણા દેશમાં નહીં, પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉજવાય છે. પાકિસ્તાનમાં પણ ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો છે. એમાંથી જ એક કટસરાજ મંદિર છે. આ મંદિર ભગવાન શિવજીનું છે.
પાકિસ્તાનના ચકવાલ ગામથી આશરે 40 કિ.મી. દૂર અને લાહોરથી 280 કિલોમીટર દૂર કટસ નામના સ્થળે એક ટેકરી પર છે. આ સ્થળથી સંબંધિત ઘણી માન્યતાઓ છે, શિવજીનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે. મહાભારત કાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં થોડો સમય પસાર કર્યો હતો. તેથી, તે હિન્દુઓની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે.
આ પણ વાંચો: અહીં પ્રસાદમાં નૂડલ્સ અને ચોકલેટ મળે છે, આ અનોખા મંદિરો વિશે જાણો

કટસરાજ કુંડ કેવી રીતે બન્યું
માન્યતાઓ અનુસાર કટસરાજ મંદિરનો કટાક્ષ કુંડ ભગવાન શિવજીના આંસુથી બનેલો છે. આ કુંડના નિર્માણ પાછળ એક કથા છે. એવું કહેવાય છે કે જ્યારે દેવી સતીનું અવસાન થયું ત્યારે ભગવાન શિવજી તેમના દુઃખમાં એટલા રડ્યા હતા કે તેમના આંસુઓથી બે કુંડ બની ગયા. એક તો રાજસ્થાનનું પુષ્કર નામનું તીર્થ છે અને બીજું પાકિસ્તાનના કટસરાજ મંદિરમાં છે.

200 ભારતીય દર્શન કરવા જઈ શકે છે
ઈન્ડો-પાક પ્રોટોકોલ 1972 મુજબ, દર વર્ષે 200 ભારતીયોકટસરાજ પર યાત્રા કરી શકે છે. એ જ રીતે, હિંદુ ધર્મના અનુયાયીઓ મહાશિવરાત્રિ પ્રસંગે આ મંદિરમાં જાય છે અને ભગવાન શિવજીનો જલાભિષેક કરે છે.

મહાભારત કાળના સમયે પણ
એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ છઠ્ઠી સદીથી નવમી સદીની વચ્ચે કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ મંદિર મહાભારત કાળ એટલે કે ત્રેતાયુગમાં પણ હતું. આ મંદિર સાથે સંકળાયેલી પાંડવોની ઘણી કથાઓ પણ અહીં પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે મહાભારત સમયગાળા દરમિયાન અહીં સાત મંદિરો પાંડવો દ્વારા બાંધવામાં આવ્યા હતા. પાંડવોએ તેમના વનવાસ દરમિયાન ચાર વર્ષ અહીં ગાળ્યા હતા. આ સ્થળ વિશે એવું પણ માનવામાં આવે છે કે આ કુંડના કાંઠે યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ થયો હતો.

યુનેસ્કોની હેરિટેજ સૂચિમાં શામેલ કરવાનો પ્રયાસ
1000 વર્ષ જૂના આ મંદિરની નજીક 150 ફૂટ લાંબા અને 90 ફૂટ પહોળા પવિત્ર સરોવરના પાણીમાં ભગવાન શિવજીના આ મંદિરનું પ્રતિબિંબ જોવા મળે છે. થોડા સમય પહેલા જ તેની નજીકની સિમેન્ટ ફેક્ટરીઓ બોરવેલથી પાણી કાઢતી હતી, જેના કારણે ભૂમિગત પાણીનું સ્તર સતત ઘટી રહ્યું હતું અને સરોવર સુકાવા માંડ્યું હતું. ત્યારબાદ સિંધના હિન્દુઓની અરજી પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તળાવના ઉપચારનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટની કડકતા પછી, પાક સરકાર યુનેસ્કોની હેરિટેજ સૂચિમાં મંદિરનો સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
