શા માટે કરવામાં આવે છે સાપોની દેવી મનસાની પૂજા?
મનસા દેવી, સાપોની દેવી તરીકે જાણીતાં છે અને તેમની પૂજા ખાસ કરીને બંગાળ અને નોર્થ-ઇસ્ટર્ન રાજ્યોમાં કરવામાં આવે છે. તેઓ એવું માને છે કે માતા મનસા એ છે કે જેઓ પૃથ્વી પરના બધા જ સાપોને નિંયત્રિત કરે છે અને જો કોઇ સાપ કરડે તો તેમની પૂજા કરવાથી સારવાર થઇ જાય છે. આ ઉપરાંતા યશ અને સમૃદ્ધિ માટે પણ માતા મનસાની પૂજા કરે છે.
પૌરાણિક કથન અનુસાર માતા મનસાએ ભગવાન શંકરના પુત્રી છે. તેમજ કેટલાક કહે છે કે તેઓ ઋષિ કશ્યપના પુત્રી છે જે શિવ સાથે જોડાયેલા છે. તે વાસુકીની બહેન અને ઋષિ જરાત્કારુની પત્ની છે. તેમના પિતૃત્વને લઇને ભ્રમ હોવાના કારણે માતા મનસા દેવીએ તમામ હકોથી વંચિત છે જે અન્ય દેવી દેવતાઓનો મળે છે. જે લોકો તેમની પૂજા કરતા હોય અને પછી તેમની પૂજા કરવાનું બંધ કરી દે એ લોકો માટે માતા મનસા દેવી ઘણા જ ખતરનાક છે. તો ચાલો તસવીરો થકી જાણીએ સાપોની દેવી મનસા દેવી અંગે.

પિતૃત્વ અંગે ભ્રમ
પૌરાણિક કથાઓ અનુસાર મનસા દેવીના પિતૃત્વને લઇને અનેક ભ્રમો છે, કેટલાક લોકો એવું માને છે કે તેઓ ઋષિ કશ્યપના પુત્રી છે, કેટલાક એવું માને છે કે તેઓ ભગવાન શિવના પુત્રી છે. પરંતુ એક બહુ પ્રચલિત સ્ટોરી એ છે કે તેમનો જન્મ ઋષિ કશ્યપના મગજથી થયો હતો અને તેથી તેમનું નામ મનસા રાખવા આવ્યું, જેનો અર્થ થાય છે, મગજમાંથી જન્મેલા.

પતિ દ્વારા તરછોડાયા
પુરાણો અનુસાર દેવી મનસાના લગ્ન ઋષિ જરાત્કારુ સાથે કરવામા આવ્યા હતા, જે સમયે તેમણે એક શરત મુકી હતી. જરાત્કારુએ કહ્યું હતું કે, જો મનસા જો ક્યારેય પણ તેમનો અનાદર કરશે તો તેઓ મનસા છે છોડી દેશે. એક વાર દેવી મનસાને જરાત્કારુને ઉઠાડવામાં મોડું થઇ ગયું અને જેના કારણે જરાત્કારુ સવારની પ્રાર્થનામાં મોડા પડ્યાં. જેના કારણે તે ઘણા જ ગુસ્સે ભરાયા અને તેમણે મનસાને તરછોડ્યા. બાદમાં તેઓ ફરી એક થયા અને તેમના અસ્તિકા નામનો પુત્ર થયો હતો.

શક્તિશાળી દેવી
માતા મનસાને સાપોની દેવી માનવામાં આવે છે. બંગાળના સ્થાનિકો અનુસાર મનસાએ એકવાર ભગવાન શિવને ખતરનાક ઝેરથી બચાવ્યા હતા. તેઓ પોતાના ભક્તોને ઘણો જ પ્રેમ કરે છે અને જે તેમની પૂજા કરવાનું અવગણે છે તેમના પર તે પ્રકોપ પણ કરે છે.

સાપોની દેવી
મનસાને સાપોની દેવી કહેવામાં આવે છે, તેઓ એક કમળ પર બેસે છે, જે સાત કોબરાથી ઘેરાયેલા હોય છે.

કયારે કરવામાં આવે છે પૂજા
દેવી મનસાની પૂજા સૌથી વધારે વરસાદના સમયમાં કરવામાં આવે છે. તેમની પૂજા ખાસ કરીને પ્રજનન શક્તિ, સાપના કરડવા અને ચિકન પોક્સ, સ્મોલ પોક્સ જેવા રોગો દરમિયાન કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
