શિવાજીના જીવનના આ સવાલોનું રહસ્ય આજે પણ અકબંધ!
શિવાજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં તલવાર જોવા મળે છે, કહેવાય છે કે, આ તલવાર પર 10 હીરા જડેલા હતા. આ તલવાર હાલ લંડનમાં લંડનમાં છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી 19 ફેબ્રુઆરીના રોજ વીર પુત્ર શિવાજીની જન્મજયંતિ ઉજવાય છે. છત્રપતિ શિવાજીની ગૌરવ ગાથા ઇતિહાસ ના અનેક પુસ્તકોમાં આલેખાઇ છે, આમ છતાં આજે પણ હજુ કેટલાક સવાલો એવા છે, જેના જવાબ આજે પણ સમાજના બુદ્ધિમાન વર્ગ અને ઇતિહાસકારો શોધી રહ્યાં છે.
એ કયા સવાલો છે, જેની પાછળનું રહસ્ય આજે પણ યથાવત છે, આવો જાણીએ..

શિવાજીની તલવાર આજે ક્યાં છે?
શિવાજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં તલવાર જોવા મળે છે, કહેવાય છે કે, આ તલવાર પર 10 હીરા જડેલા હતા, જે અત્યારે લંડનમાં છે. કહેવાય છે કે, આ તલવાર પ્રિંસ ઓફ વેલ્સ એડવર્ડ સપ્તમને નવેમ્બરમાં તેમની ભારત યાત્રા દરમિયાન મળી હતી. કોલ્હાપુરના મહારાજે તેમને ઉપહાર તરીકે આ તલવાર આપી હતી. એ પછી ક્યારેય આ તલવારને પાછી લાવવાનો પ્રયાસ નથી થયો.

શિવાજીનો જન્મ ક્યારે થયો હતો?
ઇતિહાસમાં શિવાજીનો જન્મદિવસ હજુ સુધી સ્પષ્ટ નથી. કહેવાય છે કે, તેમની જન્મતિથિ 6 જૂન 1674 છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે 19 ફેબ્રુઆરીનો દિવસ શિવાજીના જન્મદિવસ તરીકે ઉજવે છે. મહારાષ્ટ્ર સરકાર અનુસાર, શિવાજીનો જન્મ વર્ષ 1630માં 19 ફેબ્રુઆરીના રોજ થયો હતો.

શિવાજીના ઘોડાનું નામ શું હતું?
શિવાજીની છબી હોય કે મૂર્તિ, તેઓ હંમેશા એક ઘોડા પર સવાર થયેલા જોવા મળે છે. ઇતિહાસમાં પણ તેમના ઘોડાનું વર્ણન છે, પરંતુ તેમના ઘોડાના નામ અંગે ઘણા મતભેદો છે. કેટલાક કહે છે કે, તેમના ઘોડાનું નામ વિશ્વાસ હતું તો કેટલાક કહે છે કે તેમના ઘોડાનું નામ કૃષ્ણા હતું.

શિવાજીનું નિધન ક્યારે થયું હતું?
કહેવાય છે કે, ત્રણ સપ્તાહ બીમાર રહ્યાં બાદ વર્ષ 1680ના એપ્રિલ માસમાં શિવાજીનું નિધન થયું હતું. પરંતુ ઇતિહાસકારોમાં આ અંગે પણ ઘણા મતભેદો છે.

શિવાજીના નિધન બાદ તેમની પત્ની સાથે શું થયું?
શિવાજીની બે પત્નીઓ હતી, સોયરાબાઇ(મોહિતે) અને પુતલાબાઇ(પાલકર). કેહવાય છે કે, શિવાજીની બીજી પત્નીને તેમના નિધન બાદ જેલમાં કેદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને ફાંસીની સજા કરવામાં આવી.

અહીં વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
