જાડા લોકોને કોરોના વાયરસનુ સૌથી વધુ જોખમ, રિસર્ચમાં મળ્યા ચોંકાવનારા પરિણામ
એક નવી વાત સામે આવી છે કે જો તમે મોટાપાનો શિકાર હોય તો તમને કોરોના વાયરસથી વધુ સતર્ક રહેવાની જરૂર છે.
કોરોના વાયરસ વિશે સમગ્ર વિશ્વમાં ખલબલી મચેલી છે ત્યાં એક નવી વાત સામે આવી છે કે જો તમે મોટાપાનો શિકાર હોય તો તમને કોરોના વાયરસથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે આ વાયરસ જાડા લોકો માટે ઘણુ ખતરનાક છે અને મોટાપાથી ગ્રસ્ત લોકોને 14 દિવસ આઈસોલેશનમાં રાખવા પૂરતુ નથી. સંશોધનકર્તાઓના એક સમૂહે મોટાપાથી પીડિત લોકોને 28 દિવસ એટલે કે બમણા સમય માટે ક્વૉરંટાઈનમાં રહેવાની સલાહ આપી છે.

ઓબેસિટી કોરોના વાયરસને આપી રહ્યુ છે આમંત્રણ
ઈટલીના સાયન્ટિફિક ઈન્સ્ટીટ્યુટ ફૉર રિસર્ચ, હોસ્પિટલાઈઝેશન એન્ડ હેલ્થકેરમાં થયેલા એક સંશોધનમાં જણાવતા શોધકર્તઓએ જણાવ્યુ કે ઈન્ફ્લુએન્ઝા જેવા વાયરસ જાડા લોકોને વધુ પ્રભાવિત કરે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે જે વ્યક્તિ કોવિડ-19થી સંક્રમિત છે અને ઓબેસિટીથી પણ ગ્રસિત છે તેમને ક્વૉરંટાઈન દરમિયાન 14 દિવસના બદલે 28 દિવસ સુધી નિરીક્ષણ કરવાની જરૂર છે. જાડા લોકો સામાન્ય લોકોની તુલનામાં ઘણા કારણોથી વધુ સંક્રમિત થાય છે.

જાડા લોકો કોરોના વાયરસ સામે લડવામાં ઓછા સક્ષમ
સંશોધનમાં ઈટલીના બે વૈજ્ઞાનિક એ પરિણામ પર પહોંચ્યા કે કોવિડ-19 અને મોટાપા વચ્ચે ઈન્ટરેક્શન એ વાત પર નિર્ભર કરે છે કે ઈન્ફ્લુએન્ઝા જેવા વાયરસ જાડા લોકો પર કેવી અસર કરે છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસ પાતળા લોકોની તુલનામાં મોટા લોકો માટે વધુ ખતરનાક હોય છે. ઈન્ફેક્શનની ચપેટમાં આવ્યા બાદ તેમની હેલ્થને વધુ દિવસ માટે મૉનિટર કરવી જરૂરી છે. શોધકર્તાઓ અનુસાર જાડા શરીરમાં સોજો હોઈ શકે છે. આ વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિને અટકાવી શકે છે જેના કારણે જાડા લોકો કોરોના વાયરસ સામે લડવામાં ઓછા સક્ષમ જોવા મળે છે.
જાડા લોકો કોરોના વાયરસ સામે લડવામાં ઓછા સક્ષમ
સંશોધનમાં ઈટલીના બે વૈજ્ઞાનિક એ પરિણામ પર પહોંચ્યા કે કોવિડ-19 અને મોટાપા વચ્ચે ઈન્ટરેક્શન એ વાત પર નિર્ભર કરે છે કે ઈન્ફ્લુએન્ઝા જેવા વાયરસ જાડા લોકો પર કેવી અસર કરે છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસ પાતળા લોકોની તુલનામાં મોટા લોકો માટે વધુ ખતરનાક હોય છે. ઈન્ફેક્શનની ચપેટમાં આવ્યા બાદ તેમની હેલ્થને વધુ દિવસ માટે મૉનિટર કરવી જરૂરી છે. શોધકર્તાઓ અનુસાર જાડા શરીરમાં સોજો હોઈ શકે છે. આ વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિને અટકાવી શકે છે જેના કારણે જાડા લોકો કોરોના વાયરસ સામે લડવામાં ઓછા સક્ષમ જોવા મળે છે.

મોટાપાથી ગ્રસ્ત કોરોનાના દર્દીની સ્થિતિ ઝડપથી બગડી
તેમણે એ પણ સલાહ આપી કે જાડા વ્યક્તિમાં ક્વૉંરંટાઈનનો સમય પાતળા લોકોની તુલનામાં બમણો હોવો જોઈએ. વળી, અમેરિકામાં પણ આ રીતનુ સંશોધન સામે આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના મહામારીમાં યુવા દર્દીઓ માટે મોટાપો સૌથી મોટુ જોખમ બનેલુ છે. કેન્સર,ફેફસા, હ્રદય રોગના દર્દીઓના મુકાબલે મોટાપાથી ગ્રસ્ત કોરોના દર્દીઓની સ્થિતિ ઝડપથી બગડી રહી છે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે મોટાપાગ્રસ્ત દર્દીઓમાં સંક્રમણ ઝડપથી ફેલાવાનુ જોખમ હોય છે અમેરિકામાં મોટી સંખ્યામાં મોતનુ આ મોટુ કારણ સામે આવ્યુ છે. આ અભ્યાસ એક માર્ચથી બે એપ્રિલ વચ્ચે થયો અને ક્લનીિકલ ઈન્ફેક્શિયસ સિસીઝ જર્નલમાં પ્રકાશિત થયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
