Mahavir Jayanti 2024: ભગવાન મહાવીર જયંતિ પર જાણો તેમના ઉમદા વિચાર
Mahavir Jayanti 2024: મહાવીર જયંતિ 2024માં 21 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. જૈન ધર્મના 24મા તીર્થાંકર ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસની તિથિના રોજ થયો હતો. દર વર્ષે આ તિથિના દિવસ મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે.
ભગવાન મહાવીરે તેમના જીવનકાળ દરમિયાન ઘણા ઉપદેશો આપ્યા છે, જે આજે પણ પ્રાસંગિક છે. આજે આપણે તેમના મુખ્ય ઉપદેશો અને સિદ્ધાંતો વિશે વિગતવાર જાણીશું.
ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાંતો - ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાંતો અહિંસા, સત્ય, સંન્યાસ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. અહિંસાનો અર્થ છે કોઈપણ પરિસ્થિતિમાં કોઈની સાથે હિંસા ન કરવી. સત્ય એટલે કોઈપણ પરિસ્થિતિમાં અસત્યનો સાથ ન આપવો, સત્યના માર્ગે આગળ વધવું જોઇએ.
અસ્તેય એટલે સંયમથી જીવવું. બ્રહ્મચર્ય એટલે આનંદથી દૂર રહેવું અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. અપરિગ્રહ એટલે ઉપભોગ સંબંધિત વસ્તુઓનો ત્યાગ કરવો.

મહાવીર સ્વામીના આ સિદ્ધાંતો વિશે ઘણા લોકો જાણે છે, પરંતુ આ સિદ્ધાંતો સિવાય ભગવાન મહાવીરે બીજા ઘણા ઉપદેશો આપ્યા છે, જેમાંથી કેટલાક આ અહેવાલમાં આપણે જાણીશું છે.
ભગવાન મહાવીરના આ સિદ્ધાંતો ખૂબ જ વિશેષ છે - ભગવાન મહાવીરના અન્ય કેટલાક ઉપદેશો છે, જેને અપનાવીને જીવનમાં સારા પરિવર્તન લાવી શકાય છે.
અપ્પનમેવ જૂજહિ, કિં તે જૂજ્ઝેણ બજ્જાયો
અપ્પનમેવ અપ્પનમં, જઇત્તા, સુહમેહ એ
અર્થ - ભગવાન મહાવીર જણાવે છે કે, આપણે આપણા આત્માથી જ યુદ્ધ કરવું જોઈએ. બહારના દુશ્મનો સાથે લડીને શું થશે? આત્મા દ્વારા આત્માને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.
અપ્પા કત્તા વિકત્તા યા, દુક્ખાણ ય સુહાળય
અપ્પા મિત્તમમિત્તમં ચ, દુપ્પટ્ટિય સુપટ્ટીઓ
અર્થ - આત્મા પોતે જ દુ:ખ અને સુખને જન્મ આપે છે, અને તેનો નાશ પણ કરે છે. સત્યના માર્ગે ચાલનાર આત્માના મિત્ર સમાન છે અને ખોટા માર્ગે ચાલનાર આત્માના શત્રુ સમાન છે.
ધમ્મો શુદ્ધસ્ય ચિટ્ટઈ
અર્થ - ધર્મ શુદ્ધાત્મા, શુદ્ધ મનમાં જ રહે છે. તેથી જેને ધર્મના માર્ગે આગળ વધવું હોય, તેણે પહેલા પોતાના મનમાં પવિત્રતા લાવવી જોઈએ.
ખળં જાળાહિ પંડિએ
અર્થ - જે દરેક ક્ષણનું મહત્વ જાણે છે, જે દરેક ક્ષણથી વાકેફ છે, તે જીવનમાં સફળતાના માર્ગ પર આગળ વધે છે. એટલે કે આ શબ્દો દ્વારા મહાવીર સ્વામી આપણને એકાગ્રતાનું મહત્વ સમજાવી રહ્યા છે.
આજે પણ જો વ્યક્તિ ભગવાન મહાવીરના આ ઉપદેશોને પોતાના જીવનમાં અપનાવે, તો ક્રાંતિ આવી શકે છે. આપણે જીવનનો અર્થ સમજી શકીએ છીએ. મહાવીર જયંતિના શુભ અવસર પર દરેકે આ સિદ્ધાંતો પર આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
