સ્તનપાનના મહત્વ પ્રત્યે હજીએ જાગૃત નથી ભારતીય મહિલાઓ
નવી દિલ્હી, 1 ઑગસ્ટ: એક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાએ જણાવ્યું છે કે ભારતમાં હજી પણ માત્ર 41 ટકા મહિલાઓ જ નવજાત શિશુંને સ્તનપાન કરાવવાની પહેલ કરે છે. સ્તનપાનના ફાયદા અને મહત્વ અંગે મહિલાઓમાં હજી પણ જાગૃતિની ઊણપ દેખાઇ આવે છે.
સ્વૈચ્છિક સામાજિક સંસ્થા 'સેવ ધી ચિલ્ડ્રન'ની કાનૂન અને નીતિ નિર્દેશ શિરીન મિલરે જણાવ્યું કે 'ભારતમાં ગરીબ જ નહીં પરંતુ સમૃદ્ધ વર્ગની મહિલાઓમાં શરૂઆતી સ્તનપાનની જરૂરિયાતને પગલે જાગૃતિમાં ઓછપ જણાઇ છે. માતાનું પહેલું દૂધ શિશુ માટે ગુણકારી હોય છે.'
સમાજ અને ખાસ કરીને મહિલાઓને સ્તનપાનના ફાયદાઓ પ્રત્યે જાગૃત બનાવવા માટે 1થી 7 ઑગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ મનાવી રહી છે. કાર્યક્રમ દરમિયાન જાણિતી હસ્તિઓ સમાજમાં સ્તનપાનને લઇને મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સહયોગ કરશે.
અભિનેત્રી નંદિતા દાસે જણાવ્યું કે 'મને એ તો ખબર હતી કે માતાનું પહેલું દૂધ શિશુ માટે ફાયદાકારક હોય છે. પરંતુ એ ન્હોતી ખબર કે માતાના દૂધમાં જે કોલેસ્ટ્રમ હોય છે તે બાળકને ઘણી બિમારીઓથી બચાવામાં સક્ષમ હોય છે. '
વિશેષજ્ઞોનું પણ સૂચન છે કે જન્મના પહેલા છ મહિના સુધી શિશુને કરાવવામાં આવતું સ્તનપાન તેને કુપોષણથી બચાવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માત્ર 12 ટકા મહિલાઓએ પોતાના શિશુને પહેલા છ મહીના સુધી સ્તનપાન કરાવ્યું. સૌથી ઓછા સ્તનપાનના આંકડાઓમાં હરિયાણા પહેલા ક્રમે આવે છે. જ્યા માત્ર 9.4 ટકા મહિલાઓ જ શિશુને સ્તનપાન કરાવ્યું છે.
આ મામલામાં દિલ્હી બીજા ક્રમે આવે છે. સંસ્થાએ આના માટે ડબ્બાબંધ ખાદ્ય ઉત્પાદન બનાવનારાઓને દોષી ગળાવ્યા છે. સંસ્થા અનુસાર દેશમાં દરેક વર્ષ 16.5 લાખ શિશુ ડાયરિયા જેવી બીમારીઓના કારણે મૃત્યુ પામે છે જ્યારે સ્તનપાનથી ઓછામાં ઓછા 13 ટકા બાળકોના જીવ બચી શકે છે.

1
એક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાએ જણાવ્યું છે કે ભારતમાં હજી પણ માત્ર 41 ટકા મહિલાઓ જ નવજાત શિશુંને સ્તનપાન કરાવવાની પહેલ કરે છે. સ્તનપાનના ફાયદા અને મહત્વ અંગે મહિલાઓમાં હજી પણ જાગૃતિની ઊણપ દેખાઇ આવે છે.

2
સ્વૈચ્છિક સામાજિક સંસ્થા 'સેવ ધી ચિલ્ડ્રન'ની કાનૂન અને નીતિ નિર્દેશ શિરીન મિલરે જણાવ્યું કે 'ભારતમાં ગરીબ જ નહીં પરંતુ સમૃદ્ધ વર્ગની મહિલાઓમાં શરૂઆતી સ્તનપાનની જરૂરિયાતને પગલે જાગૃતિમાં ઓછપ જણાઇ છે. માતાનું પહેલું દૂધ શિશુ માટે ગુણકારી હોય છે.'

3
સમાજ અને ખાસ કરીને મહિલાઓને સ્તનપાનના ફાયદાઓ પ્રત્યે જાગૃત બનાવવા માટે 1થી 7 ઑગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ મનાવી રહી છે. કાર્યક્રમ દરમિયાન જાણિતી હસ્તિઓ સમાજમાં સ્તનપાનને લઇને મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સહયોગ કરશે.

4
વિશેષજ્ઞોનું પણ સૂચન છે કે જન્મના પહેલા છ મહિના સુધી શિશુને કરાવવામાં આવતું સ્તનપાન તેને કુપોષણથી બચાવે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માત્ર 12 ટકા મહિલાઓએ પોતાના શિશુને પહેલા છ મહીના સુધી સ્તનપાન કરાવ્યું. સૌથી ઓછા સ્તનપાનના આંકડાઓમાં હરિયાણા પહેલા ક્રમે આવે છે. જ્યા માત્ર 9.4 ટકા મહિલાઓ જ શિશુને સ્તનપાન કરાવ્યું છે.

5
આ મામલામાં દિલ્હી બીજા ક્રમે આવે છે. સંસ્થાએ આના માટે ડબ્બાબંધ ખાદ્ય ઉત્પાદન બનાવનારાઓને દોષી ગળાવ્યા છે. સંસ્થા અનુસાર દેશમાં દરેક વર્ષ 16.5 લાખ શિશુ ડાયરિયા જેવી બીમારીઓના કારણે મૃત્યુ પામે છે જ્યારે સ્તનપાનથી ઓછામાં ઓછા 13 ટકા બાળકોના જીવ બચી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
