રાહુલ ક્યાં સુધી 'પપ્પા-દાદી'ની ટિકિટ પર 'લોકતંત્ર-રેલ'માં મુસાફરી કરશે!
[અંકુર કુમાર શ્રીવાસ્તવ] ચૂંટણી જેમ-જેમ નજીક આવે છે તેમ તેમ નેતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાવુક વાતો કરે છે. રાજકારણને નજીકથી સમજનાર અને અનુભવની વાત કરીએ તો આ દેશમાં ચૂંટણી ભાવુક એજન્ડા પર નક્કી કરવામાં આવી છે તો કોઇપણ નેતાની ભાવુકતાની વાત રાખવી ભારતીય રાજકારણમાં કોઇ નવી વાત નથી. જો ભારતીય રાજકિય સિસ્ટમ જોઇએ તો એક મોટો વર્ગ છે જેને ભાવુક મુદ્દાઓ પર રાજકારણ રમ્યું છે અને સફળ રાજકારણ કર્યું છે. પરંતુ જ્યારે જ્યારે આવું રાજકારણ રમવામાં આવ્યું છે ત્યારે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે.
સવાલ એ પેદા થાય છે કે મુદ્દાની અછતના કારણે આમ કરી રહ્યાં છે. તો બીજી તરફ એમ વિચારે છે કે જો પોતાની સ્પીચમાં ઇમોશનલ ઇલીમેન્ટ નાખશે તો જનતા ઝડપથી તેની સાથે જોડાઇ જશે. શું નેતા આમ કરશે તો પોતાની નબળાઇને સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અથવા ઇમોશનલ મુદ્દા ઉપાડીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો? જી હાં અમે વાત કરી રહ્યાં છીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જેમને રાજસ્થાનના ચુરૂમાં પોતાની દાદી અને પિતાની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે દુખને અનુભવ્યું છે.

રાહુલ ગાંધીએ રાજસ્થાનના ચુરૂમાં દુનિયાને તે દર્દનાક રાત યાદ અપાવી જ્યારે તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. તેમને એ દિવસ પણ યાદ કરાવ્યો જ્યારે હત્યા બાદ એક તરફ તેમની દાદી ઇન્દિરા ગાંધીની લાશ રાખી હતી તો બીજી તરફ તેમના આંસૂ વહી રહ્યાં હતા. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે રાહુલ ગાંધીનું રોટી, કપડાં અને મકાનનો એજન્ડા પર ચૂંટણી લડવી કેટલી યોગ્ય છે.
ભારતની પ્રજા રાહુલ ગાંધીની તે ઇમોશનલ સ્પીચના વખાણ તો કરી રહી છે પરંતુ હવે એ ગુજારિશ પણ કરવામાં આવી છે કે તે પારિવારિક એલબમથી બહાર નિકળે. એવું હોવું પણ જોઇએ કારણ કે એક 14 14 વર્ષનો બાળક રેલવેમાં પોતાની ટિકિટ પર ચાલે છે તો રાહુલ ગાંધી ક્યાં સુધી પોતાના 'પપ્પા-દાદી'ની ટિકિટ પર લોકતંત્રની રેલવેમાં મુસાફરી કરતાં રહેશે. રાહુલ ગાંધી અંત સુધી સંવેદનાઓનું દુખ લઇને લોકો પાસે સહાનૂભૂતિ મેળવતાં રહેશે કારણ કે તેમને જે દુખ અનુભવ્યું છે તેનો અંદાજો કરવો મુશ્કેલ છે પરંતુ શું રાહુલના આ દર્દને 121 કરોડની વસ્તીવાળા આ દેશને બે ટાઇમનું ભોજન, શરીર ઢાંકવા માટે કપડાં અને માથે છત આપી શકશે. તમારું આ અંગે શું માનવું છે? તમારું મંતત્વ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
