મિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ અસલી છે કે નકલી? કઇ રીતે ચકાસશો?
મિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ શુદ્ધ છે કે ભેળસેળવાળું એ જાણવાના સરળ ઉપાયો વાંચો અહીં...
આજના જમાનામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામાન્ય બાબત થઇ ગઇ છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં મિઠાઇમાં ખૂબ ભેળસેળ જોવા મળે છે. આવી મિઠાઇઓ, ખાદ્યપદાર્થો તમારા આરોગ્ય માટે હાનિકારક છે. આને કારણે સામાન્ય રોગો ઉપરાંત ક્યારેક ગંભીર બીમારીઓ પણ થાય છે. મિઠાઇઓ ઉપરાંત મિઠાઇ પર લગાવવામાં આવતા ચાંદીના વરખની બનાવટમાં પણ ભેળસેળ જોવા મળે છે, જે ખૂબ હાનિકારક હોય છે.

ચાંદીના વરખના સ્થાને એલ્યુમિનિયમ?
બજારમાં આજકાલ ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમ વરખ વેચાઇ રહ્યાં છે. તમે કલ્પના કરી શકો છો કે, આવા વરખવાળી મિઠાઇઓ તમારા શરીર અને આરોગ્યને કેવું નુકસાન કરી શકે છે. આનાથી મગજ અને ફેફેસાંના રોગો તથા કેન્સર થવાનો ભય રહેલો છે. જો કે, મિઠાઇ પર ચાંદીનું વરખ લગાવવામાં આવ્યું છે કે ભેળસેળવાળું નકલી વરખ, એ ખૂબ સરળતાથી જાણી શકાય છે. કઇ રીતે? વાંચો અહીં...

ટેસ્ટ 1
આ ખૂબ સામાન્ય ટેસ્ટ છે, જે કોઇ પણ પોતાના ઘરે કરી શકે છે. તમારી આંગળીથી મિઠાઇ પર લાગેલ ચાંદીના વરખને સાફ કરવાનો પ્રયત્ન કરો. જો વરખ તમારી આંગળીએ ચોંટી જાય, તો એનો અર્થ છે કે ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ ભેળવવામાં આવ્યું છે. જો વરખ આંગળીએ ન ચોંટે તો મિઠાઇ સુરક્ષિત છે.

ટેસ્ટ 2
ચાંદીના વરખને ચકાસવા માટેનો અન્ય એક સમાન્ય ટેસ્ટ છે, કે મિઠાઇ પર લાંગેલ ચાંદીના વરખને કાઢી લો. ત્યાર બાદ તેને ગરમ કરો. જો વરખ માત્ર ચાંદીનું હશે, તો ગરમ થતાં તેનો એક નાનો બોલ બની જશો. પરંતુ જો વરખમાં ભેળસેળ હશે તો ગરમીથી વરખ કાળું થવા માંડશે. ચાંદીના વરખમાં મોટે ભાગે ભેળવવામાં આવતું એલ્યુમિનિયમ ગરમ થતાં કાળી રાખમાં પરિવર્તિત થઇ જાય છે.

ટેસ્ટ 3
આ પણ એક સામાન્ય હોમ ટેસ્ટ છે. આ માટે તમારે ચાંદીનું વરખ હાથમાં લઇને તેને હથેળી પર ઘસવાનું છે. જો વરખ શુદ્ધ ચાંદીનું હશે, તો એ ગાયબ થઇ જશે. પરંતુ જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તેનો એક નાનકડો બોલ બની જશે.

ટેસ્ટ 4
જો તમારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ હોય, તો એના દ્વારા તમે ચાંદીના વરખની ચકાસણી કરી શકો છો. આ માટે એક ટેસ્ટ ટ્યૂબમાં ચાંદીનું વરખ નાંખો અને ત્યાર બાદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાંખો. જો તે સફેદ વેગ સાથે ટર્બાઇડ થઇ જતું હોય, તો એનો અર્થ છે કે ચાંદી શુદ્ધ છે. જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તે ટર્બાઇડ નહીં થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
