Garuda Puran: લાંબુ જીવવુ હોય તો આ 5 આદતો છોડી દો, બંધ કરી દો આવા કામ
Garuda Puran: ગરુડ પુરાણ 18 પુરાણોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે તેમાં ઉલ્લેખિત તમામ વસ્તુઓ ભગવાન વિષ્ણુએ પોતે કહી હતી. જે રીતે તે પોતાના વાહન ગરુડના તમામ પ્રશ્નોના વિગતવાર જવાબ આપે છે, તેના પર ગરુડ પુરાણ રચવામાં આવ્યું છે.
ભગવાન વિષ્ણુ જીવનને યોગ્ય રીતે જીવવા માટે નીતિ અને નિયમો સમજાવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવેલી વાતો પ્રત્યે દરેક વ્યક્તિનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેમાં જન્મ, મૃત્યુ, આત્મા, સ્વર્ગ, નરક, મૃત્યુ પછીનું જીવન, પુનર્જન્મ, જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમો, ધર્મ, કર્મ વગેરે વિશે જણાવવામાં આવ્યું છે.

આજે આપણે દરેક ઘરમાં લોકોને બીમારીઓથી પીડિત જોઈએ છીએ. સંપૂર્ણ સ્વસ્થ લોકો આજે બહુ ઓછા છે. એટલું જ નહીં, આજકાલ માનવીની ઉંમર પણ ઘટી રહી છે. વ્યક્તિની ઉંમર કેમ ઘટે છે તેના વિશે ગરુડ પુરાણમાં ઘણુ કહેવામાં આવ્યું છે. કેટલાક એવા કામ છે જે આપણી ઉંમર ઘટાડે છે. આ આદતો છોડવાથી તમને લાંબુ અને સ્વસ્થ જીવવામાં મદદ મળશે. આવો જાણીએ એવા કામો વિશે જે માણસની ઉંમર ઘટાડે છે.
રાતના સમયે દહીં ખાવુ
દહીં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ખોરાક છે. પરંતુ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે રાત્રે ભૂલથી પણ દહીં ન ખાવું જોઈએ. તે શરીર માટે હાનિકારક છે. ગરુડ પુરાણ અનુસાર રાત્રે દહીંનું સેવન કરવાથી બીમારીઓનું જોખમ અનેકગણું વધી જાય છે. રાત્રે દહીં ખાવાથી પેટના રોગો વધે છે. તેથી આ સમસ્યાઓને દૂર કરવા માટે તમારે હંમેશા દિવસ દરમિયાન દહીંનું સેવન કરવું જોઈએ.
કોઈના અંતિમ સંસ્કારમાંથી આવ્યા પછી તરત જ સ્નાન કરો
ગરુડ પુરાણ જણાવે છે કે અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા પછી સ્નાન કરવું જોઈએ. મૃત શરીરને બાળ્યા પછી જે ધુમાડો નીકળે છે તેમાં ઝેર હોય છે. જો કોઈ તેની પાસે ઊભું રહે તો ધુમાડાની સાથે ઝેરી પદાર્થો શરીરમાં પ્રવેશી શકે છે. અગ્નિસંસ્કાર પછી જે ધુમાડો નીકળે છે તેમાં ઘણા બેક્ટેરિયા હોય છે. તે હવામાં ઉડે છે અને ત્યાં હાજર લોકોના શરીર પર ચોંટી જાય છે. એટલા માટે અગ્નિસંસ્કાર પછી સ્મશાનમાં લાંબો સમય ન રહેવું જોઈએ. ઘરે આવ્યા પછી સ્નાન કરો અને તમારા કપડાંને સારી રીતે ધોઈ લો. જો આ બેક્ટેરિયાને શરીરમાંથી દૂર કરવામાં ન આવે તો કેટલીક ગંભીર સમસ્યાઓ અને બીમારીઓ થઈ શકે છે.
વાસી માંસ ખાવું
જો તમે નૉન-વેજ ખાતા હોય અને તેમાં પણ વાસી માંસ ખાશો તો તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે લોકો વાસી માંસ ખાય છે તેમનું આયુષ્ય ઓછું થાય છે. આપણે જાણીએ છીએ કે અમુક રસાયણો અને પર્યાવરણીય પરિબળોને લીધે માંસમાં બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. વધુ ખતરનાક બેક્ટેરિયા વાસી માંસ પર વધે છે. આવી સ્થિતિમાં જો તમે તેને ખાશો તો આ બેક્ટેરિયા તમારા પેટમાં જાય છે અને ઘણી બીમારીઓનું કારણ બને છે. તે તમારા સ્વાસ્થ્યને નબળી પાડે છે.
સવારના સમયમાં ઈન્ટીમેટ રિલેશન બનાવવા
ગરુડ પુરાણ અનુસાર સવારે શારીરિક સંબંધ બાંધવાથી કે વધુ પડતા શારીરિક સંબંધ કરવાથી પુરુષોની ઉંમર ઓછી થાય છે. આ સાથે સવારે સેક્સ કરવાથી શરીર કમજોર બને છે. એક સમય એવો આવે છે જ્યારે તમારું શરીર રોગ સામે લડવાની ક્ષમતા ગુમાવી દે છે. એટલા માટે યોગીઓ અને ઋષિઓએ શરીરમાં ઊર્જાનો સંગ્રહ કરવા માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન માટે સવારનો સમય નક્કી કર્યો છે.
સવારે મોડે સુધી ઉંઘવુ
આજના સમયમાં વ્યક્તિની દિનચર્યા ઘણી બદલાઈ ગઈ છે. ખાવાની અને સૂવાની આદતો પણ બદલાઈ ગઈ છે, લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને સવારે મોડે સુધી ઉંઘે છે. ગરુડ પુરાણ અનુસાર જે લોકો સવારે મોડે સુધી જાગે છે તેમને તાજી હવા નથી મળતી. આવી સ્થિતિમાં, તેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે, જેના કારણે ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. તેથી વહેલા સૂવાનો પ્રયાસ કરો અને વહેલા ઉઠો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
