Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી પર ચાંદ જોવાથી લાગે છે કલંક? જાણો રોચક કથા
Ganesh Chaturthi 2023: ચંદ્રને જોવાથી શીતળતા મળે છે, સર્જનાત્મકતા વધે છે અને માણસ પ્રસન્ન થઈ જાય છે. ચંદ્રની સુંદરતા વિશે વાર્તાઓ અને કવિતાઓ પણ રચવામાં આવી છે.
પરંતુ જો તમે ચંદ્રને ધ્યાનથી જોયો હશે, તો તમે નોંધ્યું હશે કે ચંદ્ર પર કાળા ધબ્બા પણ દેખાય છે. વૈજ્ઞાનિકો આ કાળા ધબ્બાને ક્રેટર્સ કહે છે, જે દૂર હોવાના કારણે આપણને કાળા ધબ્બા જેવા લાગે છે.

હિન્દુ ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષ મુજબ આપણને એક ખૂબ જ રસપ્રદ વાર્તા મળે છે. આ કાળા ડાઘ ભગવાન ગણેશના જન્મ સાથે પણ સંબંધિત છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવાની પણ મનાઈ છે. આવો જાણીએ આ કથા.
શિવ અને પાર્વતીના પુત્ર અને વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. આ દિવસ વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહયા હતા ત્યારે ભગવાન શિવ તેમને મળવા આવ્યા હતા પરંતુ ગણેશજીએ શિવને મળવાથી રોક્યા કારણ કે માતા પાર્વતીએ આદેશ આપ્યો હતો કે કોઈને પણ ઘરની અંદર જવા દેવામાં ન આવે.
આથી ક્રોધિત થઈને શિવે ગણેશનું માથું કાપી નાખ્યું. બાદમાં માતા પાર્વતી પોતાના પુત્રને આ હાલતમાં જોઈને ખૂબ રડ્યા, તેથી શિવે ગણેશના ધડ પર હાથીનું માથું મૂક્યું અને તેના કારણે ગજાનન ગણેશનો ફરીથી જન્મ થયો. આ પછી, જ્યારે ગણેશ પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે બધા તેમના ગુણગાન ગાવા લાગ્યા, પરંતુ ચંદ્ર તેની સુંદરતા પર ગર્વથી ચુપચાપ હસતો હતો. આ જોઈને ગણેશ ગુસ્સે થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે તારા પર કાળા ધબ્બા પડી જશે.
આ દિવસથી, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાનું અશુભ માનવામાં આવે છે જે ભગવાન ગણેશનો જન્મદિવસ છે કારણ કે આ દિવસે ભગવાન ગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો હતો. ગણેશ ચતુર્થીના દિવસે આકસ્મિક રીતે ચંદ્ર જોયો ત્યારે કૃષ્ણ પર પણ ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેથી આ દિવસને કલંક ચતુર્થી પણ કહેવામાં આવે છે. ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ચાલુ રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
