આ રીતે દીવો પ્રગટાવવાથી દરેક મનોકામના થશે પૂર્ણ
જો તમે કોઈ કામનાની પૂર્તિ માટે દીવા પ્રગટાવી રહ્યા હોય તો અમુક વાતોનુ અવશ્ય ધ્યાન રાખો. જો તમે આ મુજબ કરશો તો તમારી તે મનોકામના જરૂર પૂરી થશે.
સુખ અને સમૃદ્ધિ અને યશ મેળવવા દરેક માનવીની આશા હોય છે. આ વસ્તુઓ મેળવવા માટે સારા કર્મ જરૂરી છે પરંતુ અમુક એવા ઉપાય પણ છે જેને કરવાથી ઈચ્છિત વસ્તુ મળી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે મનુષ્યના જીવનને સરળ બનાવી દે છે.

દીવાનુ મહત્વ
સનાતન ધર્મમાં દીવાની રોશનીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. તે પોતાના પ્રકાશથી જીવનમાં રોશની ભરી દે છે. દીવાનો પ્રકાશ જીનવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે. જો તમે કોઈ કામનાની પૂર્તિ માટે દીવા પ્રગટાવી રહ્યા હોય તો અમુક વાતોનુ અવશ્ય ધ્યાન રાખો. જો તમે આ મુજબ કરશો તો તમારી તે મનોકામના જરૂર પૂરી થશે.

ઘીનો દીવો પ્રગટાવો
ઘરના મંદિરમાં હંમેશા ઘીનો જ દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી પરિવાર પર દેવતાઓની કૃપા સદાય વરસતી રહે છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

શિક્ષણ મેળવવા માટે દીવો
શિક્ષણના દેવી મા શારદાને પ્રસન્ન કરવા માટે તેમના સમક્ષ દ્વિમુખી દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. જો દ્વિમુખી દીવો ન હોય તો સામાન્ય દીવામાં જ બે વાટ પ્રગટાવી દેવી. ધ્યાન રાખવુ કે દીવો શુદ્ધ ઘી અથવા તલના તેલનો હોવો જોઈએ. આનાથી પ્રસન્ન થઈને સરસ્વતી મા શિક્ષણમાં આવતી બધી અડચણોને દૂર કરે છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે
શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસિયાનુ તેલ ચડાવવાનો રિવાજ છે એટલા માટે દર શનિવારે શનિ મંદિરમાં જઈને સરસિયાના તેલનો દીવો પ્રગટાવોય આ ઉપાયથી નિશ્ચિત રીતે શનિદેવની કૃપા મળશે અને શનિદેવ તમારા બધા કષ્ટો હરી લેશે. આ ઉપાયથી ધનલાભ પણ થાય છે.

પતિના દીર્ઘાયુ માટે
પતિની લાંબી આયુ માટે પત્નીઓએ એકમુખી ગિલોયનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પતિ અને પતિની બંનેને ભગવાનના આશીર્વાદ મળે છે.

રાહુ-કેતુને પ્રસન્ન કરવા માટે
રાહુ અને કેતુ બે પાપી ગ્રહ માનવામાં આવે છે. તે માનવીના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે પરંતુ પ્રસન્ન થવા પર સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. માટે અળસીના તેલનો દીવો તેમની સામે અવશ્ય પ્રગટાવવો જોઈએ. ભૈરવ સાધના અથવા શત્રુ નાશ માટે પણ ભૈરવ ભગવાનની પ્રતિમા સામે સરસિયાના તેલનો ચારમુખી દીવો પ્રગટાવવો. આનાથી શત્રુઓ નાશ થાય છે.

યશ અને કીર્તિ માટે
ગણેશ ભગવાનની કૃપા મેળવવા માટે શુદ્ધ ઘીના ત્રિમુખી દીવા પ્રગટાવવા જોઈએ. આનાથી વૈભવ મળે છે. માન સમ્માન અને યશ માટે સૂર્યદેવને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે એટલા માટે રોજ ઘીનો દીવો સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ પ્રગટાવવો જોઈએ.

કાયદાકીય બાબતોમાં જીત માટે
પંચમુખી દીવો અદાલતની બાબતોને ઉકેલે છે. કોઈ પણ કેસને જીતવા માટે પંચમુખી દીવો રોજ પ્રગટાવવો જોઈએ.

રક્ષા કવચ માટે
બજરંગ બલિ રક્ષા કરનારા અને ડર દૂર ભગાવનાર છે એટલા માટે તેમની પૂજી કરતી વખતે ત્રિમુખી દીવો પ્રગટાવવો. આ દીવામાં શુદ્ધ ચમેલીના તેલનો ઉપયોગ કરવો. યાદ રહે કે દીવો ઉંડો હોવો જોઈએ.

ધ્યાન આપવા યોગ્ય વાત
જો તમે શત્રુનાશ કે કોઈ રીતની મુસીબતના નિવારણ માટે પૂજા કરતા હોય તો આ પૂજામાં ઉપયોગ થનાર દીવો ઉંડો અને વચમાંથી થોડો ઉપસેલો હોવો જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
