ગાંધીજી મારા માટે રામ અને કૃષ્ણ સમાન, એટલે કરૂ છું ઘરમાં રોજ પૂજા!
મોહિતહારી, 14 ઑગસ્ટ: સામાન્ય રીતે લોકો પોતાના આરાધ્ય દેવની પોતાના ઘરમાં રોજ પૂજા કરતા હોય છે પરંતુ બિહારના પૂર્વી ચંપારણમાં એક વ્યક્તિ છે જેના માટે મહાત્મા ગાંધી જ ભગવાન છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની કર્મભૂમિ માનવામાં આવતા ચંપારણનો આ રાષ્ટ્રપ્રેમી મહાત્મા ગાંધીની માત્ર સ્થાપના કરી તેમને માત્ર ભગવાન જ નથી માનતો પરંતુ તેમની વિધિવત પૂજા-અર્ચના પણ કરે છે.
આના માટે તેમણે ઘરમાં જ ગાંધી મંદિર બનાવી દીધુ છે. પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારીના ધર્મસમાજના રહેનાર બાપૂના અનન્ય ભક્ત 60 વર્ષિય તારકેશ્વર પ્રસાદના મકાનના એક ઓરડામાં ગાંધીજીની કાંસ્યની એક પ્રતિમા મૂકેલી છે. આ પ્રતિમાની સ્થાપના ધાર્મિક આયોજન બાદ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિમાની તારકેશ્વર પ્રતિદિવસ પૂજા કરે છે અને બાપૂ પર આધારિત ભજન-કીર્તન હોય છે. એ જ કારણ છે કે વિસ્તારમાં તારકેશ્વરની ઓળખ ગાંધીભક્તના રૂપમાં કરવામાં આવે છે.

આ દરમિયાન આરતી, હવન, સહિત સવારે વહેલા ભજન અને સંધ્યાકાળે વંદન કરે છે. પૂજા બાદ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે. પૂજામાં આસપાસના લોકો પણ ઉત્સાહની સાથે સામેલ થાય છે. રાષ્ટ્રીય તહેવારના પ્રસંગે અત્રે વિશેષ પ્રાર્થના અને પૂજા તથા ભજનનું આયોજન કરવામાં આવે છે. ગાંધીના જન્મદિવસના અવસર પર બે ઓક્ટોબરના રોજ વિશેષ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં જિલ્લાના તમામ ગાંધીવાદીઓને આમંત્રીત કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
