મરતાં પહેલાં ચોક્ક્સ ચાખી લેજો આ 10 વ્યંજન
ભારતની ઓળખ તેની સંસ્કૃતિથી થાય છે, જ્યાં અલગ-અલગ પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે. તહેવાર હોય તો અહીંના સ્વાદિષ્ટ પકવાનોને કેવી રીતે ભૂલી શકાય. દરેક રાજ્યની પોતાની આગવી વિશેષતા છે. પૂર્વ, પશ્વિમ, ઉત્તર અને દક્ષિણ દરેક જગ્યાનો પોતાનો સ્વાદ અને પોતાની વિશેષતા છે.
પૂરણપૂરી હોય કે પછી દાલ-બાટી, તંદૂરી રોટી હોય કે પછી શાહી પુલાવ, પંજાબી ખાવાનું હોય કે પછી મારવાડી ખાવાનું આ બધુ સાંભળતા આપણા બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આવો આજે આપણે એવા પકવાનો વિશે વાત કરીએ જે એકદમ મશહૂર છે.

લિટ્ટી ચોખા
લિટ્ટી જોવામાં તો બાટી જેવી લાગે છે, પરંતુ ઘણુ બધુ અંતર છે. તેને લોટની અંદર સત્તૂ (શેકેલા ચણાને દળીને બનાવવામાં આવે છે) ભરીને બનાવવામાં આવે છે. અને આ રીંગણ, બટાકાને મિક્સ કરીને ચોખા તૈયાર કરવામાં આવે છે અને લિટ્ટીએની સાથે પ્રેમપૂર્વક ખાવામં આવે છે.

ઠેકુઆ
આ મીઠું પકવાન છે જે મોટાભાગે તહેવારના સમયે બનાવવામાં આવે છે. તેને બનાવવું સરળ છે. ગોળ અને લીલી ઇલાયચીને વાટીને પાણીમાં ઘોળી લો. લોટમાં ચાર ચમચી ઘી, ગોળનું પાણી અને નારિયેળ નાખીને રોટલીના લોટની માફક ગુંદી દો. ગુંદેલા મિશ્રણના નાના પેડા બનાવીને સંચા પર રાખો. સંચા પરથી નિકાળીને ગરમી ઘીમાં લાલ થાય ત્યાં સુધી તળો. ઠંડું થતાં સર્વ કરો.

ખાજા
ખાજા એક પ્રકારનું પકવાન છે જે મેંદા, ખાંડ, ઘી અથવા ડાલડા વડે બનાવવામાં આવે છે. આ પૂર્વી ભારતના બિહાર, ઓરિસ્સા તથા પશ્વિમ બંગાળમાં ખૂબ લોકપ્રિય છે.

શક્કરપારા
મીઠા શક્કરપારા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. શક્કરપારા લગાવેલી ખાંડનું મીઠું પડ તેના સ્વાદની ખાસિયત છે. આ મોટાભાગે બિહાર અને રાજસ્થાનમાં મશહૂર છે.
Photo Courtesy http://punjabsweetsonline.com

માલપુઆ
માલપુઆ ઉત્તર ભારત અને બિહારમાં બનાવવામાં આવતી રેસિપી છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવાની રીતે એકદમ સરળ છે. માલપુઆને રબડી અથવા ખીરની સાથે ખાવામાં આવે છે, તેને ખીરપુઆ પણ કહે છે.

કઢી
કઢી-ભાત ઉત્તર ભારત અને બિહારનો એક મનપસંદ કોમ્બો છે. સામાન્ય રીતે તેને બપોરના ભોજનમાં સર્વ કરવામાં આવે છે કારણ કે બેસનની તાસીર થોડી ભારે હોય છે. કઢી પણ ઘણા પ્રકારની હોય છે કેટલાક લોકો તેમાં પકોડી નાખે છે તો કેટલાક લોકો તેમાં શાકભાજી જેવી તમારી ઇચ્છા એવી કઢી બનાવો.

દાળ પુરી
પુરી તો આપણે બધા જાણીએ છે પરંતુ દાળ પુરી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેને ગુંદેલા લોટના લોયા બનાવીને તેમાં દળેલી દાળ ભરવામાં આવે છે પછી તેને તળી દેવામાં આવે છે. હવે તમે તમારી ઇચ્છા અનુસાર ખાઇ શકો છો કોઇપણ શાકભાજી સાથે પણ.

કાલા જામુન
કાલા જામુન એક પ્રકારનું પકવાન છે જે મેંદા, કેસિન (પનીરનું પ્રોટીન દ્રવ્ય) તથા ખાંડથી બનાવવામાં આવે છે. અને તેને મોટાભાગે લોકો ખાધા પછી ખાવાનું પસંદ કરે છે.

પરવલની મિઠાઇ
પરવલની મિઠાઇ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેને તૈયાર કરવી પણ એટલી જ સરળ હોય છે. આ ડિશ તમારા પરિવારના સેલિબ્રેશનને શાનદાર બનાવશે જ અને ઘરે આવનાર મહેમાનો માટે પણ ખાસ હશે.

બાલૂશાહી
બાલૂશાહી એક પ્રકારનું પકવાન છે જે મેંદા તથા ખાંડમાંથી બનાવવામાં આવે છે. બાલૂશાહી મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને ઘીમાં તળવામાં આવે છે. ત્યારબાદ ખાંડના સિરપમાં ડુબાડવામાં આવે છે. ઠંડું દવા દો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
