PM મોદીએ લોન્ચ કરેલી સ્કીમ "ઉડ્ડાન" વિષે જાણવા જેવું બધું જ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિમલામાં ઉડ્ડાન યોજનાની શરૂઆત કરી. આ સ્કીમ હેઠળ એક કલાકની ઉડ્ડાન માટે ભાડુ 2500 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવશે.
વડાપ્રધાને ગુરુવારે શિમલામાં ઉડ્ડાન યોજનાની શરૂઆત કરી. પીએમ મોદીએ ઉડ્ડાનની પહેલી ફ્લાઇટ શિમલાથી દિલ્હીનું આજે ઉદ્ધાટન કર્યું. આ સ્ક્રીમનું નામ ઉડ્ડાન (ઉડે દેશનો સામાન્ય નાગરિક) રાખવામાં આવ્યું છે. આ સ્ક્રીમના લોન્ચિંગ વખતે પીએમ મોદીએ કહ્યું કે ઉડ્ડાન સેવા લોકોનો સમય બચાવશે. તેમણે કહ્યું કે ટેક્સીમાં જો તમારે 10 રૂપિયા લાગશે તો આ નવી સેવા દ્વારા તમારે ખાલી 6-7 રૂપિયા ખર્ચ કરવો પડશે. આમ પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સેવા ટેક્સી કરતા પણ સસ્તી છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.
ત્યારે શું છે આ સ્ક્રીમ અને તમે કેવી રીતે તેનો ફાયદો લઇ શકો છો તે અંગે વિગતવાર જાણો અહીં....

નાના શહેરોને જોડવા
ઉડ્ડાન યોજના ભારતની એવિએશન પોલીસીનો જ એક ભાગ છે. જે અંતર્ગત દેશના નાના શહેરોને હવાઇ માર્ગથી જોડવામાં આવશે. તેમાં એવા સ્થળો જોડવામાં આવ્યા છે જેનું એક જગ્યાએથી બીજી જગ્યાએનું અંતર એક કિલોમીટર કે તેનાથી પણ ઓછું હોય.

ટિયર 2 શહેરો
આ સ્થળોમાં શિમલાથી દિલ્હી, હૈદરાબાદથી નાનદેડ જેવી જગ્યાઓને સમાવવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું છે કે આમ કરવાથી દેશના ટિયર 2 અને ટિયર 3 સીટીને દેશ સાથે જોડવામાં આવશે. અને તેનાથી વિકાસને ફાયદો થશે. વળી શહેરો સાથે હવાઇ કનેક્ટિવીટી મળતા બન્ને પક્ષે ફાયદો થશે.

2,500 રૂપિયા શરૂઆતી ભાડુ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સસ્તી વિમાન સેવા ઉડ્ડાન ખાલી 2500 રૂપિયા સુધીનું ભાડું ધરાવે છે. આ માટે તમારે 2500 રૂપિયા કે તેનાથી પણ ઓછા ચૂકવવા પડશે. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં નોર્થ ઇસ્ટના રાજ્ય એર કનેક્ટિવિટીથી ખૂબ જ ઓછા જોડાયેલા છે. આ ઉડ્ડાન સ્કીમનું ખૂબ જ સસ્તુ ભાડુ તેમાં મદદ કરશે.

એરલાઇન્સ
પીએમ મોદીએ પ્રાઇવેટ એરલાઇન્સને સલાહ પણ આપી છે. જેમાં તેમણે કહ્યું કે પ્રાઇવેટ એરલાઇન્સ પટના સાહિબ, અમૃતસર સાહિબ અને નાનદેડ સાહિબને એક એર કોરિડોરના રૂપે વિકસિત કરે તો દુનિયાભરના શીખ શ્રદ્ધાળુઓ અહીં સસ્તી વિમાન સેવા હેઠળ આવી જઇ શકશે.

સામાન્ય લોકો માટે
આ સ્કીમને લોન્ચ કરતી વખતે મોદીએ કહ્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દેશનો સામાન્ય નાગરિક પણ હવાઇ પ્રવાસ કરી શકે. તે વાતને ધ્યાનમાં રાખીને જ તેમની સરકારે પહેલી વાર હવાઇ યાત્રા પોલીસી બનાવી છે. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે તમામ લોકો ઉડ્ડે અને તમામ સાથે જોડાય.

30 એરપોર્ટ
ઉડ્ડાન 2016માં રિજનલ કનેક્ટિવિટી સ્કીમ ખોલવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે ગત 70 વર્ષોમાં 70 થી 75 એરપોર્ટ બનાવવામાં આવ્યા છે પણ તેનો કોઇ કમર્શિયલ ઉપયોગ નથી કરવામાં આવ્યો. આવનારા સમયમાં ઓછામાં ઓછા 30 એરપોર્ટને કમર્શિયલ એક્ટિવિટી હેઠળ જોડવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
