4 મહિનામાં કામ કરતાં બંધ થઈ જશે SBIનાં ATM કાર્ડ!
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઑફ ઈન્ડિયાના લાખો એટીએમ કાર્ડ 31 ડિસેમ્બર સુધીમાં બંધ થઈ જશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઑફ ઈન્ડિયાના લાખો એટીએમ કાર્ડ 31 ડિસેમ્બર સુધીમાં બંધ થઈ જશે. જેને લઈને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ અને ટ્વિટર દ્વારા લોકોને માહિતી આપી છે. SBIએ પોતાના ગ્રાહકોને સલાહ આપી છે કે જેમની પાસે પણ જૂના મેગસ્ટ્રિપ કાર્ડ છે તે 31 ડિસેમ્બર પહેલા બદલાવી લેવા, નહીંતર 31 ડિસેમ્બર બાદ તમામ મેગસ્ટ્રિપ વાળાં કાર્ડ બ્લૉક થઈ જશે. સુરક્ષાની પુષ્ટિ કરવા ખાતર સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ આવું કર્યું છે. આ પણ વાંચો- SBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ!

કેવી રીતે ઓળખશો કે તમારું કાર્ડ મેગસ્ટ્રિપ કાર્ડ છે કે નહીં
તમને જણાવી દઈએ કે એટીએમની પાછળની બાદુ કાળી પટ્ટી હોય છે. આ કાળી પટ્ટીને મેગ્નેટિક સ્ટ્રિપ કહેવાય છે. આ સ્ટ્રિપમાં તમારા ખાતાની સંપૂર્ણ માહિતી હોય છે. જો તમારા ડેબિટ કાર્ડમાં આગળની બાજુ કોઈપણ પ્રકારની ચિપ નથી લાગી તો તમારું કાર્ડ મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડ છે. જ્યારે તમારા કાર્ડમાં સામેની બાજુ કોઈ ચિપ લાગેલી છે તો તમારું એટીએમ કાર્ડ ઈએમવી ચિપ ડેબિટ કાહર્ડ છે. જો તમારું ઈએમવી કાર્ડ હોય તો તેને બદલવાની જરૂર નથી.

કેવી રીતે બદલાવશો કાર્ડ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ જણાવ્યા મુજબ જો કોઈ મેગસ્ટ્રિપ એટીએમ કાર્ડ હોય છે તો તે 31 ડિસેમ્બર બાદ કામ કરતું બંધ થઈ જશે. સ્ટેટ બેંકના ખાતા ધારકોએ તેની પહેલા દરેક વર્ષે પોતાનું એટીએમ કાર્ડ બદલવું પડશે. જૂનાં ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બર બાદ કામ કરતાં બંધ થઈ જશે. બેંક આ અંગે પોતાના ગ્રાહકોને મેસેજ અને ઈમેલ દ્વારા સંદેશો મોકલી રહી છે. નવા કાર્ડ માટે ગ્રાહકોએ કોઈપણ પ્રકારનો ચૂર્જ આપવો નહીં પડે.

કઈ રીતે મેળવશો નવું કાર્ડ
બેંકો પોતાના ગ્રાહકોને બની શકે તેટલી જલદી ઈવીએમ ચિપ વાળા ડેબિટ કાર્ડ લેવાની સલાહ આપી છે. તમે બેંકની બ્રાન્ચમાં જઈને કે ઘરે બેઠા પણ પોતાના એટીએમ કાર્ડ બદલી શકો છો. નવા કાર્ડ માટે તમે ઓનલાઈન બેંકિંગથી અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત બેંકની બ્રાન્ચમાં જઈને અપ્લાય કરવું પડશે. આના માટે કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. એટલું જ નહીં ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારનું વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે.

મફતમાં બદલાવો કાર્ડ
એસબીઆઈએ ગ્રાહકોને એટીએમ બદલવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ન લેવાની ઘોષણા કરી છે. ગ્રાહકોએ મેગસ્ટ્રિપ કાર્ડને ઈએમવી કાર્ડથી બદલવા માટે હોમ બ્રાન્ચે જવું પડશે. આ ઉપરાંત ત્યાં જઈને ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા તમે કાર્ડ બદલવા માટે અપ્લાય કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
