અલાહાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક આરબીઆઈની પીસીએ યાદીમાંથી બહાર થઇ
રિઝર્વ બેન્કે મંગળવારે તાત્કાલિક સુધારની શ્રેણી (પીસીએ) માંથી બે સરકારી બેન્કો - અલ્હાબાદ બેંક અને કોર્પોરેશન બેન્કને બહાર કરી હતી.
રિઝર્વ બેન્કે મંગળવારે તાત્કાલિક સુધારની શ્રેણી (પીસીએ) માંથી બે સરકારી બેન્કો - અલ્હાબાદ બેંક અને કોર્પોરેશન બેન્કને બહાર કરી હતી. આ જ નહીં, આ બેન્કો પરથી આગળ વધીને ધિરાણ આપવા સહીત અન્ય પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રની ધનલાક્ષ્મી બેન્કને તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી (પીસીએ) ના અધિકારથી દૂર કરવામાં આવી છે.
તમને એ વાતની જાણકારી આપી દઈએ કે અગાઉ 31 જાન્યુઆરીએ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને ઓરિએન્ટલ બેન્ક ઑફ કોમર્સને પીસીએ રેખામાંથી બહાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: RBI એલર્ટ: ભૂલથી પણ આ એપ ડાઉનલોડ કરશો નહીં, ખાલી થઇ જશે તમારું બેન્ક ખાતું

બેન્કોમાં 21 ફેબ્રુઆરીએ નાખવામાં આવેલી રોકડની તપાસ કરી
એક નિવેદનમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે નાણાકીય મોનિટરિંગ બોર્ડ (બીએફએસ) એ પીસીએ હેઠળ બેંકોની કામગીરી સમીક્ષા કરી અને તાત્કાલિક સુધારાત્મક પગલાં હેઠળ રાખવામાં આવેલી કેટલીક બેન્કો સહિત વિવિધ બેન્કોમાં 21 ફેબ્રુઆરીએ નાખવામાં આવેલી રોકડની તપાસ કરી.
આ રોકડમાંથી અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્કને ક્રમશ રૂ. 6,896 કરોડ અને રૂ. 9,086 કરોડ પ્રાપ્ત થયા હતા. કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે મૂડી મળવાથી આ બેંકોનું મૂડી ભંડોળ અને દેવાની ખોટ સામે જોગવાઈઓ વધશે, જેથી પીસીએ ધોરણોનું અનુપાલન સુનિશ્ચિત થઇ શકે.

કોર્પોરેશન બેન્કના એનપીએ ડિસેમ્બરના અંતમાં કુલ દેવાના 17.36
આરબીઆઇએ કહ્યું છે કે 31 જાન્યુઆરી, 2019 ના રોજ યોજાયેલી બેઠકમાં બીએફએસ દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતોના આધારે, 26 ફેબ્રુઆરી 2019 ની બેઠકમાં પીસીએ માળખામાંથી અલ્હાબાદ બેંક અને કોર્પોરેશન બેન્કને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે કેટલીક શરતો અને સતત દેખરેખ પર નિર્ભર છે. ડિસેમ્બરના અંતમાં કોર્પોરેશન બેન્કનો એનપીએ કુલ દેવાનો 17.36 ટકા હતો, જે એક વર્ષ પહેલાના આજ મહિનામાં 15.92 ટકા હતો.
ડિસેમ્બર 2018 માં અલ્હાબાદ બેન્કનો કુલ એનપીએ 17.81 ટકા પહોંચી ગયો હતો. જો કે એક વર્ષ પહેલાં આ જ મહિનામાં 14.38 ટકા હતો. જો કે, રિઝર્વ બેન્કે કહ્યું છે કે તેણે ધનલક્ષ્મી બેન્કને પણ પીસીએ રૂપરેખાના કાર્યક્ષેત્રમાંથી બહાર કરવા નક્કી કર્યું છે. જે કેટલીક શરતો અને સતત દેખરેખ પર આધારિત છે. જણાવીએ કે પીસીએ પ્રોફાઇલિંગની જોખમ મર્યાદાને અનુસરવા બેન્કોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

પાંચ બેન્કો હજુ પણ પીસીએ રૂપરેખાના કાર્યક્ષેત્રમાં છે
પાંચ જાહેર ક્ષેત્રની બેન્કો યુનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડિયા, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક તથા દેના બેન્ક હજી પણ પીસીએ રૂપરેખાના કાર્યક્ષેત્રમાં છે. તેના હેઠળ આવતી બેંકોને ધિરાણ આપવા પર પ્રતિબંધો સહિત અન્ય પ્રતિબંધો લાગી જાય છે. પીસીએ રૂપરેખા સરકાર અને આરબીઆઇ વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે. સરકાર ઇચ્છે છે કે કેન્દ્રિય બેન્ક વૈશ્વિક ધોરણો અનુસાર પીસીએ રૂપરેખા બનાવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
