RBI Monetary Policy : રેપો રેટ અંગે RBIએ કરી જાહેરાત, જાણો EMI પર શું થશે અસર?
RBI Monetary Policy : ભારતીય જનતા પાર્ટી (RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ આજે પોતાના નીતિગત નિર્ણયની જાહેરાત કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એમપીસીની બીજી બેઠકમાં ફરી એકવાર રેપો રેટ અંગે જાહેરાત કરી છે. આરબીઆઇ લોકોને મોટી રાહત આપી છે. આરબીઆઇએ રેપો રેટ સ્થિર રાખ્યો છે.
RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, રેપો રેટ 6.50 ટકા પર યથાવત છે. ઉલ્લેખનીય છે કે, RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક દર બે મહિનામાં એકવાર યોજાય છે. એપ્રિલમાં યોજાયેલી છેલ્લી બેઠક બાદ RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

RBI ગવર્નરે જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી રિકવરી જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તેમણે સંકેત આપ્યો હતો કે, જો જરૂર જણાય તો રેપો રેટ વધુ વધારી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. RBI દ્વારા રેપો રેટમાં વધારો તમારી લોનના EMIને અસર કરે છે. બેંકના વ્યાજ દરો પ્રભાવિત થાય છે અને આ તમારી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન EMIને અસર કરે છે.
રેપો રેટ શું છે? - RBI રેપો રેટ એ દર છે કે, જેના પર ભારતીય રિઝર્વ બેંક કોમર્શિયલ બેંકને ધિરાણ આપે છે. જ્યારે આરબીઆઈનો રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને આરબીઆઈ પાસેથી મોંઘી લોન મળે છે. જો બેંકને મોંઘી લોન મળે છે, તો બેંક તેના ગ્રાહકોને મોંઘી લોન પણ વહેંચશે. એટલે કે રેપો રેટ વધારવાનો બોજ બેંક મારફત ગ્રાહકો સુધી પહોંચે છે.
બેંકનો વ્યાજ દર વધે છે અને તમે જે પણ લોન લીધી છે. જેમ કે, હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન તેના વ્યાજ દરો વધે છે. તમે વિચારતા જ હશો કે, જ્યારે લોકોને અસર થાય છે, તો RBI રેપો રેટ શા માટે વધારશે?
ફુગાવાને નિયંત્રિત કરવા માટે, RBEI બજારમાં પ્રવાહિતા ઘટાડવા માટે રેપો રેટમાં વધારો કરે છે. રેપો રેટમાં વધારો અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટાડે છે. નાણાનો પ્રવાહ ઘટતાની સાથે જ માંગ ઘટવા લાગે છે અને ફુગાવો ઘટવા લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
