US ડોલરનો પ્રવાહ નિયંત્રિત કરવા RBI સરકારી બોન્ડ વેચશે
મુંબઇ, 23 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચાર વર્ષમાં પહેલીવાર સરકારી બોન્ડ વેચવા પર વિચાર કરી શકે છે. આમ કરવાનો મુખ્ય હેતુ દેશમાં અમેરિકન ડોલરના જબરદસ્ત પ્રવાહને નિયંત્રિત કરાવાનો છે.
લોકસભા ચૂંટણી 2014 બાદ તેમાં વધારે તેજી આવી શકે છે. માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ (એમએસએ) અંતર્ગત આરબીઆઇએ સોમવારે 2014-15માં સરકારી સિક્યુરિટિઝના વિચાણ માટે 50,000 કરોડ રૂપિયા સુધીની સીમા નક્કી કરી છે. આ સ્કીમને વર્ષ 2004માં શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ સિસ્ટમમાંથી જરૂર કરતા વધારે કેશને દૂર કરવાનો હતો.

આ અંગે કેટલાક બેંકિંગ એક્સપર્ટટ્સનું કહેવું છે કે હાલ માર્કેટ સ્ટેબિલાઇઝેશન બોન્ડ રજૂ કરવાની જરૂર નથી. કારણ કે માર્કેટની સ્થિતિ એવી નથી. ઓએમઓ (ઓપન માર્કેટ ફોર લિક્વિડિટી ઇન્ફ્યુઝન) અને એમએસએસ બોન્ડ એક સાથે ચાલી શકતા નથી. જો કે વર્ષ 2014-15 માટે જો જરૂર પડી તો એફઆઇઆઇના રોકાણને આધારે આરબીઆઇ આ અંગે નિર્ણય કરી શકે છે.
ડીલર્સના જણાવ્યા અનુસાર 16 મેના રોજ મતગણતરી બાદ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બનવાની આશા છે. જેના પરિણામે વિદેશી ફંડોના પ્રવાહને બળ મળી શકે છે. જો કે રોકાણકારોનો એક વર્ગ એવું માને છે કે સિસ્ટમમાં નાણાની પ્રવાહિતતા ઘટશે તો આરબીઆઇ માર્કેટમાં 50,000થી 60,000 કરોડ રૂપિયા વહેતા કરવા ઓપન માર્કેટ ઓપરેસન્સની પરવાનગી આપી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર વર્ષ 2013-14માં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે એફઆઇઆઇએ ભારતીય શેરો અને ડેટ સિક્યુરિટિઝમાં માત્ર 5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં આ આંકડો 27 અબજ ડોલરનો હતો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
