નિર્મલા સીતારમણે રઘુરામ રાજનને સૌથી અસફળ RBI ગવર્નર ગણાવ્યા, જાણો બીજુ શું કહ્યું?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સમયે સમયે સવાલ ઉઠાવતા આરબીઆઈના પુર્વ ગવર્નર રઘુરામ રાજન પર નાણામંત્રી નિર્મલા સીતારમણે હુમલો કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર વળતા પ્રહાર કરતા કહ્યું કે, આરબીઆઈના ભૂતપૂર્વ વડા રઘુરામ રાજન તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જ્યારે દેશમાં બેંકિંગ સિસ્ટમ મુશ્કેલીમાં હતી ત્યારે રઘુરામ રાજને તેના પર કોઈ ધ્યાન ન આપ્યું.
એક ટીવી ઈન્ટરવ્યુમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, રઘુરામ રાજન આરબીઆઈના વડા તરીકે બેંકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સામે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો વળતો હુમલો છે.
નાણામંત્રીએ જણાવ્યું કે, બેંકો મુશ્કેલીમાં હતી, કારણ કે નિયમનકારો બીજી તરફ જોઈ રહ્યા હતા અને બેંકોને ફોન કોલ આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે રઘુરામ રાજને બેંકોને નિયમો આપવા જોઈએ અને તેમને બહારના દબાણથી બચાવવા જોઈએ.
નિર્મલા સીતારમણના કહેવા પ્રમાણે, રાજને પહેલા એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તેઓ અર્થશાસ્ત્રી છે કે દરેક વખતે તેઓ બોલે ત્યારે રાજકારણીની ટોપી પહેરી લે છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ રઘુરામ રાજને પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે વિકસિત દેશ બનવા માટે ભારતે 9 થી 10 ટકા જીડીપી ગ્રોથનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. પોતાના નિવેદનમાં રાજને કહ્યું હતું કે, જો ભારત વર્તમાન દરે વૃદ્ધિ કરશે તો તે 2047 સુધીમાં વિકસિત દેશની શ્રેણીમાં આવી શકશે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
