ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાના સમાચારથી લોકોની ભીડ જામી
પૈસા મનુષ્ય પાસે કંઇપણ કરાવી શકે છે, તમે આ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તે જોવા માટે આટલું જલ્દી મળશે તે વિચાર્યું પણ ન હોય. આ મામલો કેરળના મુન્નાર શહેરનો છે
પૈસા મનુષ્ય પાસે કંઇપણ કરાવી શકે છે, તમે આ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તે જોવા માટે આટલું જલ્દી મળશે તે વિચાર્યું પણ ન હોય. આ મામલો કેરળના મુન્નાર શહેરનો છે, જ્યાં બેંકોની બહાર ઘણા કિલોમીટર સુધી લોકોની ભીડ થઇ રહી છે. લોકો કલાકો અને કલાકો સુધી તડકામાં ઉભા રહીને તેમના વારાની રાહ જોઈ રહ્યા છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે બેંકોની બહાર ભીડ જમા થઈ રહી છે. હકીકતમાં, વોટ્સએપ દ્વારા એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાના છે. આ સમાચાર ફેલાતાં જ લોકો તેમનું બેંક ખાતું ખોલવા પહોંચી રહ્યા છે.

સોશિયલ મીડિયાથી સમાચાર ફેલાયા
તમને જણાવી દઈએ કે કેરળના મુન્નારમાં સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા છે કે મોદી સરકાર દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવવા જઈ રહી છે. આ સમાચાર વોટ્સએપ દ્વારા ફેલાઈ રહ્યા છે. મેસેજમાં લખ્યું છે કે પોસ્ટલ બેંકમાં જેમના ખાતા હશે, સરકાર તેમના ખાતામાં 15 લાખ જમા કરશે. આ હકીકતને સાચી માનીને, લોકો પોસ્ટલ બેંકમાં ખાતું ખોલવા માટે મોટી સંખ્યામાં બેંકો અને પોસ્ટ ઓફિસમાં પહોંચી રહ્યા છે. જ્યારે તેમને ખબર પડી કે આ એક ખોટા સમાચાર છે, તો બધા પાછા આવ્યા.

સોશિયલ મીડિયા પર જમીન મેળવવાના પણ સમાચાર ફેલાયા
સમાચાર ફેલાતાની સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં મુન્નારમાં 1050 થી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. જોકે આ પહેલીવાર નથી. અગાઉ દેવિકુલમ આરડીઓ કચેરીમાં આ જ રીતે લોકોની લાઇનો લાગી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા હતા કે સરકાર જલ્દીથી બેઘર લોકોને મકાનો અને જમીન આપવા જઈ રહી છે. હમણાં, લોકોને આ ફેક સમાચારની સત્યતા જાણવા મળી ગઈ છે. હવે લોકો સોશિયલ મીડિયા પર ફેલાવામાં આવેલા આ મેસેજને સાચો માની બેંકમાં પોસ્ટલ ખાતા ખોલાવવા માટે પહોંચી રહ્યા છે.

અફવાઓ ફેલાવનાર લોકો પર કાર્યવાહીના નિર્દેશ
જણાવી દઈએ કે જ્યારે બેંક અને પોસ્ટ ઓફિસની બહાર ઉભા રહેલા લોકોને આ સમાચાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ કહે છે કે પીએમ મોદી પોતાનું વચન પૂરા કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ એક નોટિસ જારી કરી આ સમાચારની સત્યતા લોકોને જણાવી અને આ સમાચારને ફેક સમાચાર જણાવ્યા, પરંતુ લોકો તે સ્વીકારવા તૈયાર નથી. હવે પોલીસે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
