બજેટમાં સરકારી બેંકોને મોદી સરકાર મોટી રાહત આપી શકે છે
મોદી સરકાર તેમના બીજા કાર્યકાળના બજેટ સત્રમાં બેંકોને રાહત આપવાનું એક મોટું પગલું લઈ શકે છે. જી હા, નાણા મંત્રાલય સરકારી બેંકોના મૂડી આધારનું મૂલ્યાંકન કરે છે.
મોદી સરકાર તેમના બીજા કાર્યકાળના બજેટ સત્રમાં બેંકોને રાહત આપવાનું એક મોટું પગલું લઈ શકે છે. જી હા, નાણા મંત્રાલય સરકારી બેંકોના મૂડી આધારનું મૂલ્યાંકન કરે છે. અને પછી, નિયમ હેઠળ લઘુત્તમ મૂડીની શરતોને પહોંચી વળવા માટે અને મદદ કરવા માટે ચાલુ વર્તમાન નાણાકીય વર્ષના સામાન્ય બજેટમાં રૂ .30,000 કરોડ પૂરા પાડી શકે છે. જણાવી દઈએ કે સંસદના બજેટ સત્રની શરૂઆત આજથી એટલે કે 17 મી જૂનથી થઇ ચુકી છે. તમને એ વાતની પણ જાણકારી આપી દઈએ કે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ 5 જુલાઇએ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે.

આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થવાને લીધે બેંકોને સહાયની જરૂર છે
ઉપરાંત, જણાવી દઈએ કે આર્થિક વૃદ્ધિ ધીમી પડી ગઈ છે અને 2018-19માં 6.8 ટકા પર આવી ગઈ છે. તે જ સમયે, બજેટમાં વૃદ્ધિમાં વધારો કરવો એ એક પડકાર છે. તેમાં બેંકિંગ ક્ષેત્રનું આ એક મહત્વપૂર્ણ યોગદાન રહેશે. સરકારી બેંકોને ખાનગી અને વ્યવસાયિક કાર્ય માટે પૂરતી મૂડીની જરૂર પડશે. તો ત્યાં ક્રેડિટની માંગમાં વધારો શરૂ થઈ ગયો. આ ઉપરાંત, આરબીઆઇના ત્વરિત સુધારક એક્શન (પીસીએ) માળખા હેઠળ, 5 નબળી બેસલ-3 ના નિયમો હેઠળ જરૂરી મૂડી જાળવી રાખવાની પણ જરૂર રહેશે.
આ પણ વાંચો: હવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા
ગયા સપ્તાહે, સીતારમણએ બજેટ પહેલાં નાણાકીય ક્ષેત્ર અને મૂડીબજારના મુખ્ય લોકો સાથે બજેટની ચર્ચા કરી હતી. આમાં રિઝર્વ બેન્કના નાયબ ગવર્નર એન.એસ. વિશ્વનાથન પણ ત્યાં હતા. ત્યાં એક અધિકારીના જણાવ્યા મુજબ, આ મીટિંગમાં, ગેર-બેન્કિંગ નાણાકીય કંપનીઓ માટે એક સમર્પિત રોકડ વ્યવસ્થા, નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરોની સમીક્ષા અને બેન્કો ફસાયેલા લોન્સ અથવા એનપીએ માટેની ચર્ચા કરવામાં આવી હતી. જાણકારી આપી દઈએ કે નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં, એવું કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં જાહેર બેંકોમાં મૂડી પ્રવાહ અને એક અલગ બોન્ડ એક્સચેન્જ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
સરકારએ રૂ. 5,042 કરોડ રૂપિયાની મૂડી નવી બેંકમાં મૂકી
જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે જો સરકાર બેન્ક ઑફ બરોડા જેવા કેટલાક અન્ય બેંકોના એકીકરણ પર વિચાર કરશે તો તેને વધારાની મૂડીની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે બીઓબીમાં દેના બેન્ક અને વિજયા બેંકના વિલીનીકરણના કારણે વધારાના ખર્ચને પહોંચી વળવા સરકારે નવી બેંકમાં રૂ. 5,042 કરોડની મૂડી નાખી હતી. છેલ્લા નાણાકીય વર્ષમાં, સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને રૂ. 1,06,000 કરોડ રૂપિયાની મૂડી પ્રદાન કરી હતી.
આ પણ વાંચો: ત્રણ કલાકથી વધુ સમય માટે ખાલી રહેશે ATM તો બેન્કોને થશે દંડ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
