પીએમ કિસાન: 30 નવેમ્બર સુધીમાં Aadhar અટેચ કરશો તો જ પૈસા મળશે
પીએમ કિસાન: 30 નવેમ્બર સુધીમાં Aadhar અટેચ કરશો તો જ પૈસા મળશે
સરકારે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમના પૈસા મેળવવા માટે આધાર નંબર સાથે તેને લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2019 નક્કી કરી છે. જો કોઈ 30 નવેમ્બર સુધી પીએમ કિસાન યોજનામાં તેનો આધાર લિંક નહીં કરે, તો પૈસા મળવાનું બંધ થઈ જશે. આમ ખેડૂતોને આગામી હપ્તા નહીં મળે જે 2000 રૂપિયા છે. પીએમ કિસાન યોજના અંતર્ગત મોદી સરકાર ખેડૂતોને વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપે છે. આ પૈસા 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. જો કે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ અને મેઘાલયના ખેડૂતો માટે આધારને જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 છે. એટલું જ નહીં, જો તમને આજ સુધી આ યોજના માટે નાણાં મળતા હતા, અને પછીથી મળતા બંધ થયા છે, તો તમે તેના માટેનું કારણ ઓનલાઇન જાણી શકો છો. ફક્ત આ જ નહીં, જો તમે ઇચ્છો તો, તમે તમારી પીએમ કિસાનને લગતી ફરિયાદ ઓનલાઇન અથવા ફોન પર ફાઇલ કરાવી શકો છો.

માત્ર અડધા ખેડૂતોને જ પૈસા મળી રહ્યા છે
હાલમાં દેશના અડધા ખેડૂત જ પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મેળવી રહ્યા છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં આશરે 14.5 કરોડ ખેડૂત પરિવારો છે. તે બધા આ યોજના હેઠળ પૈસા લઈ શકે છે. મોદી સરકારે આ માટે લગભગ 87 હજાર કરોડની જોગવાઈ કરી છે. પરંતુ આજદિન સુધીમાં માત્ર 7.63 કરોડ ખેડુતોને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળ્યો છે. જોકે, ફક્ત 3.69 કરોડ ખેડુતોને જ આ યોજનાનો ત્રીજો હપ્તો મળ્યો છે. બાકીના ખેડુતોને કાગળની ખામી અને આધારના અભાવના કારણે નાણાં મળી શક્યા નથી.

ખેડુતો જાતે જ પોતાની નોંધણી કરાવી શકે છે
દેશનો કોઈપણ ખેડૂત જાતે જ પોતાની નોંધણી કરાવી આ યોજના માટે પૈસા લેવાનું શરૂ કરી શકે છે. બીજી બાજુ, જો તમે પીએમ કિસાન યોજના માટે અરજી કરી છે, અને હજી સુધી પૈસા મળ્યા નથી, તો પછી તમે તમારું સ્ટેટસ પણ ઓનલાઇન ચેક શકો છો. કૃષિ મંત્રાલયે જાહેર કરેલી માહિતી મુજબ, કોઈપણ ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર જઈને પોતાનો આધાર, મોબાઇલ અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને તેનું સ્ટેટસ જાણી શકે છે.

જો તમને પૈસા નહીં મળે તો ફરિયાદ કરો
જો કોઈ ખેડૂતને હજુ સુધી પીએમ કિસાન યોજનાના પૈસા મળ્યા નથી, તો તે પોતાની ફરિયાદ પણ નોંધાવી શકે છે. ખેડુતો આ ફરિયાદ તેમના એકાઉન્ટન્ટ અથવા કૃષિ અધિકારીને કરી શકે છે. આ સિવાય કેન્દ્રીય કૃષિ મંત્રાલયના કિસાન હેલ્પ ડેસ્કના મેઇલ પર પણ ખેડૂતો તેમની ફરિયાદો નોંધાવી શકે છે. ઇમેઇલ સરનામું છે pmkisan-ict@gov.in
આ સિવાય ખેડુતો હેલ્પલાઈન નંબર ઉપર પણ પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આ ફોન નંબર છે-011-23381092,011-23382401
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
