10 સરકારી બેંકોના વિલિનીકરણથી ગુજરાતમાં બંધ થશે 300 બ્રાંચ, 3 હજારથી વધુ નોકરીઓ પર ખતરો
દેશમાં દસ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલિનીકરણની ઘોષણા કરાવાના કારણે 3 લાખથી વધુ કર્મચારીઓ પર અસર થવાની સંભાવના છે.
દેશમાં દસ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલિનીકરણની ઘોષણા કરાવાના કારણે 3 લાખથી વધુ કર્મચારીઓ પર અસર થવાની સંભાવના છે. એકલા ગુજરાતમાં લગભગ 300 શાખાઓ બંધ થઈ જશે. આ બેંક શાખાઓમાં કામ કરતા હજારો કર્મચારીઓની નોકરી પર પણ ખતરો છે. બેંક યુનિયનનુ કહેવુ છે કે થોડા મહિના પહેલા સ્ટેટ બેંકમાં 5 બેંકોનુ વિલિનીકરણ થયુ ત્યારે પણ ઘણા લોકોની નોકરીઓ જતી રહી હતી. આ વખતે તો આ સંખ્યા બહુ વધુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સાર્વજનિક ક્ષેત્રની 10 બેંકોના વિલયનો નિર્ણય લીધો છે. આ બધી 10 બેંકોમાં 30,87,02 કર્મચારી કામ કરી રહ્યા છે. આ વિલય બાદ આ કર્મચારીઓ પર પણ અસર પડવાનુ નક્કી છે.

દેશમાં 10 બેંકોમાં 30,87,02 કર્મચારી, નોકરી ગુમાવવાનો ડર
જો કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે બેંકોના વિલયથી કોઈ કર્મચારીની નોકરીને ખતરો નહિ થાય. પરંતુ એવુ કોઈ ઠોસ આશ્વાસન સરકારે આપ્યુ નથી. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલા સમયમાં પણ ઘણા બેંક કર્મીઓએ નોકરી ગુમાવી દીધી હતી.

એસબીઆઈ સાથે વિલયથી 6,350 નોકરી જઈ ચૂકી છે
મહાગુજરાત બેંક એમ્પ્લોય્ઝ એસોસિએશન (MGBEA) જનક રાવલનું કહેવુ છે કે થોડા મહિના અગાઉ એસબીઆઈ સાથે સહયોગી બેંકોના વિલયના કારણે દેશભરમાં 6,350 નોકરીઓ જઈ ચૂકી હતી. લગભગ છ મહિનામાં બેંક ઑફ બરોડા અને દેના બેંકમાં નોકરીનું નુકશાન શરૂ થઈ જશે. વધુ બેંકોના વિલય દરમિયાન સરકારે ભરોસો આપવો પડશે કે આ વખતે કોઈ કર્મચારીને નોકરીનું નુકશાન નહિ થાય.

સરકાર ધ્યાન ભટકાવવા માટે આ બધુ નથી કરી રહી?
જનકા રાવલે એ પણ કહ્યુ કે ભારત સરકાર બેંકોના વિલય મુદ્દાનો ઉપયોગ એક સ્મોક સ્ક્રીન રૂપે કરી રહી છે જેથી દેશની આર્થિક મંદીથી દેશવાસીઓનું ધ્યાન ભટકે અને સાથે જ બેંકો સામે આવતા ખરાબ ઋણના મુદ્દાઓને દૂર કરી શકાય. માહિતી મુજબ એકલા ગુજરાતમાં જ લગભગ 300 બેંક શાખાઓ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં 3000થી વધુ નોકરીઓ જઈ શકે છે.

ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે દેશ
દેશ ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. બેંકો, જેમની કમાનમાં વિશાળ સંશાધન છે, તે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે નિર્ણાયક ભૂમિકા નિભાવી શકે છે. ગયા અઠવાડિયે જ નાણામંત્રીએ સાર્વજનિક ક્ષેત્રની બેંકોને મહત્વપૂર્ણ નોકરીઓ આપવા માટે એક પ્રોત્સાહન આપ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
