ક્રિપ્ટોકરન્સી વિશે સરકાર અને RBI કરી રહ્યા છે વિચાર, જલ્દી લેવામાં આવશે નિર્ણયઃ નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણએ ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં ઘણા મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ.
નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવમાં ઘણા મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ. આમાં ઈંધણના વધતા ભાવ, પેટ્રોલ-ડીઝલને જીએસટીની સીમામાં લાવવા, ડિજિટલ કરન્સી અને ચીની રોકાણ જેવા મુદ્દાઓ મુખ્ય હતા. વળી, ક્રિપ્ટોકરન્સી માટે નાણામંત્રીએ કહ્યુ કે સરકારે ક્રિપ્ટોકરન્સીની બ્લૉકચેન અને ફિનટેક માટે વિકલ્પ બંધ નથી કર્યા. તેમણે કહ્યુ કે આ મુદ્દે એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી રહી છે જે ભારતમાં ક્રિપ્ટોકરન્સીના નિર્માણ માટે પૂરી માહિતી આપશે.

અમારા તરફથી આના માટે ઘણા વિકલ્પો ખુલ્લા છેઃ સીતારમણ
તેમણે આગળ કહ્યુ કે ક્રિપ્ટોકરન્સી માટે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(RBI)પણ અધિકૃત ક્રિપ્ટોકરન્સી વિશે વિચાર કરી શકે છે પરંતુ હું એ કહેવા માંગુ છુ કે અમારા તરફથી આના માટે ઘણા વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યુ કે બ્લૉકચેન, બિટકૉઈન અને ક્રિપ્ટોકરન્સી સાથે પ્રયોગ કરવા માટે લોકોને પૂરતા વિકલ્પ આપવામાં આવશે.

લોકોને એક નિશ્ચિત માત્રામાં વિકલ્પ પૂરા પાડીશુ
નાણામંત્રીએ કહ્યુ કે આ માટે એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી રહી છે જે લગભગ પૂરી થવાની છે. ત્યારબાદ તેને કેબિનેટ સામે રજૂ કરવામાં આવશે. અમે બ્લૉકચેન, બિટકૉઈન પર પ્રયોગ કરવા માટે લોકોને એક નિશ્ચિત માત્રામાં વિકલ્પ પૂરા પાડીશુ. જો કે આ માટે શું વ્યવસ્થા બનશે તે કેબિનેટની નોટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. નિર્મલા સીતારમણે એ પણ કહ્યુ કે ફિનટેક એક મોટુ ક્ષેત્ર છે જેમાં ભારતને ફાયદો છે. ઘણી બધી ફિનટેક કંપનીઓએ આના પર પ્રગતિ કરી છે.

અમે નિશ્ચિત રીતે આને પ્રોત્સાહિત કરીશુ
અમને આના માટે ઘણા પ્રેઝન્ટેશન મળ્યા છે. રાજ્ય સ્તરે આના માટે ઘણુ કામ થઈ રહ્યુ છે અને અમે આને IFSCના ગિફ્ટ સિટી ગાંધીનગરમાં મોટાપાયે લઈ જવા માંગીએ છીએ. તેમણે આગળ કહ્યુ, 'એક વાર જ્યારે સંસદ પૂરી થઈ જશે તો હું આના ક્રિયાન્યવન અને યોજના વિશે વિચાર કરીશ. ફિનટેક અને બ્લૉકચેન પર ભારતમાં ઘણુ કામ થઈ રહ્યુ છે. અમે નિશ્ચિત રીતે આને પ્રોત્સાહિત કરીશુ.' તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે નાણાકીય સેવા સચિવ દેબાશીષ પાંડાએ કહ્યુ હતુ કે સરકાર ક્રિપ્ટોકરન્સીની આસપાસના વિવિધ મુદ્દાઓ વિશે વિચાર કરી રહી છે. વર્તમાનમાં આરબીઆઈ અને સેબી જેવી નિયામક સંસ્થાઓ પાસે ક્રિપ્ટોકરન્સીને સીધુ વિનિયમિત કરવા માટે કોઈ કાનૂની માળખુ નથી કારણકે તે ઓળખ યોગ્ય ઉપયોગકર્તા દ્વારા જારી કરવામાં આવે છે.

ડિજિટલ મુદ્રા લૉન્ચ કરવાની યોજના પર કામ
વળી, હાલમાં જ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ હતુ કે મોટી બેંકોમાં ક્રિપ્ટોકરન્સીના કારણે અર્થવ્યવસ્થામાં નાણાકીય સ્થિરતા પર પડતા પ્રભાવ માટે ચિંતા છે અને આ વિશે સરકારને પણ જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે આરબીઆઈ પોતાની ડિજિટલ મુદ્રા લૉન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ વર્ષ 2018માં ક્રિપ્ટોકરન્સી ટ્રેંડિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને તે અંતર્ગત આવનારી બધી સંસ્થાઓને વર્ચ્યુઅલ મુદ્રા પર કામ કરવાથી રોકવાના નિર્દેશ આપ્યા હતા. જ્યારે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈના બેંકિંગ પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવી દીધુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
