લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રિય કર્મચારીઓને ગુડ ન્યુઝ, ડીએમાં ચાર ટકાનો વધારો

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડી મળતી રહેશે.

કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે કહ્યું કે 1 જાન્યુઆરી 2024થી સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ જાહેરાત કરી.

DA

કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. લાભાર્થીઓને આવતા વર્ષે 31 જાન્યુઆરી 2025 સુધી સબસિડીના નાણાં મળતા રહેશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ 1 મે 2016ના રોજ ઉજ્જવલા યોજના શરૂ કરી હતી.

આ દરમિયાન મોદી સરકારે આગામી એક વર્ષ માટે ઉજ્જવલા યોજના પર સબસિડીમાં 300 રૂપિયાનો વધારો કર્યો છે. મોદી સરકારની જાહેરાત મુજબ મહિલાઓને 31 માર્ચ 2025 સુધી ઉજ્જવલા યોજના પર સબસિડીનો લાભ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X