રક્ષા ઉત્પાદનમાં વિદેશી રોકાણની સીમા 49%થી વધારીને 74% કરવામાં આવશે
નાણામંત્રીએ મોટી ઘોષણા કરીને કહ્યુ કે સ્વચાલિત માર્ગ હેઠળ રક્ષા નિર્માણમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમા 49 ટકા વધારીને 74 ટકા કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના ચોથા ફેઝ વિશે આજે એલાન કરવામાં આવ્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આજે ગ્રોથ, રોકાણ વધારનાર આર્થિક સુધારાની ઘોષણા કરવામાં આવશે. નાણામંત્રીએ મોટી ઘોષણા કરીને કહ્યુ કે સ્વચાલિત માર્ગ હેઠળ રક્ષા નિર્માણમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમા 49 ટકા વધારીને 74 ટકા કરવામાં આવી રહી છે.

નાણામંત્રી સીતારમણે કહ્યુ કે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા લાવવા માટે મેક ઈન ઈન્ડિયાનો જોર આપવુ જરૂરી છે. સરકાર આવા હથિયારો તેમજ પ્લેટફોર્મનુ લિસ્ટ અધિસૂચિત કરશે જેમના આયાતને પ્રતિબંધિત કરી દેવામાં આવશે. ઑર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનુ ખાનગીકરણ તેમના કામકાજમાં સુધારા માટે કરવામાં આવશે. ભારતે આ દિશામાં ઘણા પગલા લીધા છે. હથિયારોની લિસ્ટને નોટિપાઈ કરવામાં આવશે અને આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
તેમણે કહ્યુ કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દર વર્ષે ભારતમાં હથિયારોનુ ઉત્પાદન વધારવામાં આવશે અને જે સામાન આયાત કરવા પડે છે તેમનુ પણ ઉત્પાદન દેશમાં જ કરવામાં આવશે. આના માટે અલગથી બજેટ આપવામાં આવશે. આનાથી રક્ષા આયાત ખર્ચ થષે અને એ કંપનીઓને લાભ થશે જે ભારતમાં સેના માટે હથિયાર બનાવશે. ઑર્ડિનન્સ ફેક્ટરી ઑર્ગેનાઈઝેશનને નિગમીકૃત કરવામાં આવશે. નાણામંત્રીએ જોર આપ્યુ કે કામકાજમાં સુધારા માટે નિગમીકૃત કરવામાં આવશે, પ્રાઈવેટાઈઝેશન નહિ કરવામાં આવે. નાણામંત્રીએ આ અવસરે કહ્યુ કે રક્ષા ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા બિલકુલ અપિરહાર્યછે. કંપનીઓને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ઑટોમેટિક રૂટ્સ દ્વારા એફડીઆઈની સીમાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
