ફાટેલી-તૂટેલી નોટ બદલવાની સહેલી રીત, ઉઠાવો ફાયદો
હંમેશા આપણે ફાટેલી નોટો ક્યાં બદલાવવી તેને લઈને અસમંજસમાં રહેતા હોઈે છીએ. કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી કે ફાટેલી નોટનું શું કરવું જોઈએ.
હંમેશા આપણે ફાટેલી નોટો ક્યાં બદલાવવી તેને લઈને અસમંજસમાં રહેતા હોઈે છીએ. કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી કે ફાટેલી નોટનું શું કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આવી નોટ બદલવાની સુવિધા આપી છે. નોટની સ્થિતિ પ્રમાણે તેની આખી કિંમત કે પછી અડધી કિંમત તમને મળી શકે છે. જાણો ક્યાં અને કેવી રીતે બદલી શકાય છે ફાટેલી નોટ.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાં 10, 50, 100, 500ની નોટ ચલણમાં રાખી છે. નોટબંધી બાદ 200, 500ની નવી નોટ અને 2000ની નોટ પણ અસ્તિત્વમાં આવી છે. આ ઉપરાંત 1 હજારની નોટ બંધ કરી દેવાઈ છે.
આ પણ વાંચો: નવી 20 રૂપિયાની નોટ કંઈક હવે આવી હશે

દરેક નોટ માટે છે જુદો નિયમ
ફાટેલી નોટ બદલવાની કેટલી રકમ મળશે તે નોટની કિંમત અને તેની સ્થિતિ કેવી છે તેના પર નક્કી થાય છે. જેમ કે 2 હજારની નોટનો 88 sqcm હોય તો પૂરા પૈસા મળે છે અને 44sqcm હોય તો અડધા પૈસા મળે છે. જો 2 હજારની આખી નોટ 109.56sqcm છે. તો 200ની ફાટેલી નોટનો 78sqcm ભાગ હોય તો પુરુ વળતર મળશે અને 39sqcm હોય તો અડધું વળતર મળશે.

કઈ નોટ બદલી શકાય છે.
રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે ત્રણ પ્રકારની નોટ બદલી શકાય છે. જે નોટને ધોવાથી કે ચલણમાં વારંવાર ફરવાથી રંગ ઉડી ગયો હોય તે. જે નોટ ફાટી ગઈ હોય પણ ટુકડા હાજર હોય. ત્રીજી જે મિસ મેચ વાળી હોય એટલે કે બે જુદા જુદા ટુકડા જોડીને કોટી પ્રિન્ટવાળી નોટ બની હોય. ખૂબ જ ખરાબ સ્થિતિવાલી નોટ જેમના નંબર વાંચવા શક્ય ન હોય તેને બેન્ક બદલવાની ના પણ પાડી શકે છે.

નોટ પર લખવાની મનાઈ છે
રિઝર્વ બેન્કના નિયમો પ્રમાણે નોટ પર કશુંક લખેલું હોય તો તે માન્ય છે. પરંતુ જો તે લખાણ રાજકીય હોય તો તેને લીગલ ટેન્ડર નહીં માનવામાં આવે.

કેવી રીતે બદલાવશો નોટ
તમે કોઈ પણ બેન્કની બ્રાંચમાં જઈને નોટ બદલાવી શકો છો. અથવા તમે રિઝર્વ બેન્કની ઓફિસ પણ જઈ શકો છો. જી હાં, દરેક બેન્ક જૂની, ફાટેલી નોટો બદલી આપે છે બસ તે નકલી ન હોવી જોઈે. તમે નજીકની બેન્કમાં જઈને નોટ બદલાવી શકો છો. આ માટે કોઈ ચાર્જ નથી લાગતો. સાથે જ આ માટે તમારે બેન્કના ગ્રાહક હોવું પણ જરૂરી નથી. બસ નોટ બદલાવતી વખતે એટલું ધ્યાન રાખો કે તમારી પાસે આવી 20થી વધુ નોટ ન હોય. કેટલાક દુકાનદારો પણ જૂની ફાટેલી નોટો બદલી આપે છે, પરંતુ તેમનું કમિશન વધું હોય છે.

આ નોટો ન બદલી શકાય
નોંધવા જેવી વાત એ છે કે કેટલીક સ્થિતિમાં નોટ બદલી નથી શકાતી. રિઝર્વ બેન્કના નિયમો પ્રમાણે ખરાબ રીતે સળગી ગયેલી, કે વધુ ટુકડામાં વહેંચાયેલી નોટ બદલી નથી શકાતી. આ પ્રકારની નોટ રિઝર્વ બેન્કની ઈસ્યુ ઓફિસમાં જ જાય છે. સાથે જ જે નોટો પર રાજકીય સંદેશ લખ્યા હોય તેમને પણ ચલણમાં નથી વાપરી શકાતી. ઉપરાંત જો બેન્ક કર્મચારીને લાગે કે તમને નોટ જાણીજોઈને ફાડી છે, તો તે નોટ બદલવાની ના પાડી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
