બજેટ 2020: આવકવેરાની છૂટના નામે થઈ ગઈ લૂંટ
મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે સંસદમાં રજૂ કરેલ બજેટ પ્રસ્તાવમાં આવક વેરાની છૂટના નામે લૂંટ જેવુ કામ કરી દીધુ છે.
મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે સંસદમાં રજૂ કરેલ બજેટ પ્રસ્તાવમાં આવક વેરાની છૂટના નામે લૂંટ જેવુ કામ કરી દીધુ છે. સરકારે આવકવેરામાં નવી વ્યવસ્થાં કોઈ પણ પ્રકારની છૂટ ન લેતા લોકોને રાહત આપવાની ઘોષણા કરી છે પરંતુ દેશના 100 ટકા નોકરિયાત લોકો સાથે આ વ્યવસ્થા લૂંટ જેવી સાબિત થશે. આ રીતે બજેટ 2020માં આવેલ આવકવેરાનો પ્રસ્તાવ નોકરિયાત લોકોને ભારે પડશે.

બજેટ 2020માં શું છે પ્રસ્તાવ
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના આવકવેરા પ્રસ્તાવમાં કહ્યુ છે કે
5 લાખ સુધી કોઈ આવકવેરો નહિ
5 લાખથી 7.5 લાખ સુધી આવકવેરો 10 ટકા
7.5 લાખથી 10 લાખ સુધી આવકવેરો 15 ટકા
10 લાખથી 12.5 લાખ સુધી આવકવેરો 20 ટકા
12.5 લાખથી 15 લાખ સુધી આવકવેરો 25 ટકા
15 લાખથી વધુની વાર્ષિક આવક પર હવે આવકવેરા તરીકે 30 ટકા આપવા પડશે.

જાણો શું થશે નુકસાન
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ છે કે જો કોઈ વ્યક્તિ આવકવેરો બચાવવા માટે રોકાણ કરીને કોઈ છૂટ નહિ લે તો તેને નવા આવકવેરા ટેક્સ સ્લેબનો લાભ મળશે. પરંતુ જો કોઈ નોકરિયાત વ્યક્તિ આવકવેરાની નવી વ્યવસ્થામાં જવા ઈચ્છે તો તેને ભારે નુકશાન થશે. આ નુકશાન એ રીતે હશે કે તેણે પોતાના ફંડના પૈસા કપાવવા પડશે પરંતુ નવી વ્યવસ્થામાં તેની છૂટ નહિ લઈ શકે. આ રીતે તેના પૈસા કપાશે પણ અને તે આવકવેરાની છૂટ પણ નહિ લઈ શકે.

જાણો કેટલુ થશે નુકશાન
જો તમે નોકરિયાત છો અને તમારી વાર્ષિક આવક ટેક્સેબલ આવક 7.5 લાખ રૂપિયા છે તો જાણી લો કે તમને કેટલુ નુકશાન થશે. જો તમારા આ વેતનથી વર્ષભરમાં 50,000 રૂપિયા પીએફ રૂપે કપાય છે તો તમને નવી આવકવેરા વ્યવસ્થામાં કોઈ છૂટ નહિ મળે. બજેટના પ્રસ્તાવો હેઠળ જો તમે કોઈ પણ પ્રકારની આવકવેરા છૂટ લેશો તો નવી વ્યવસ્થામાં નહિ આવી શકો. એટલે દેશનો નોકરિયાત વ્યક્તિ આ બજેટ પ્રસ્તાવનો ફાયદો નહિ લઈ શકે અને જો આવુ કરવાનો પ્રયાસ કરશે તો તેને ફંડમાંથી કાપેલા પૈસાનો ફાયદો નહિ મળે. આ રીતે જેટલા પૈસા ફંડ તરીકે કપાશે, લગભગ એટલુ જ નુકશાન જ થશે.

જાણીએ જાણકારોનુ મંતવ્ય
સીએ પવન શંખધરના જણાવ્યા અનુસાર બજેટ પ્રસ્તાવોને પહેલી નજરે જોવા પર આ નુકશાન દેખાઈ રહ્યુ છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે સરકાર બજેટ સત્ર દરમિયાન આના પર ધ્યાન આપશે અને નોકરિયાત લોકોને આ નુકશાનથી બચાવશે. તેમનુ કહેવુ છે કે ફંડની કપાત એક અનિવાર્ય કપાત છે, એવાં સરકારે આ મુદ્દે ધ્યાન આપવુ જ પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
