અબજોપતિ પણ નથી રહ્યા અનિલ અંબાણી, કંપનીઓ વેચી દેવું ચૂકવે છે
એક સમયે, દુનિયાના અમીરોની લિસ્ટમાં શામેલ અનિલ અંબાણી આજે અબજોપતિ પણ નથી રહ્યા.
એક સમયે, દુનિયાના અમીરોની લિસ્ટમાં શામેલ અનિલ અંબાણી આજે અબજોપતિ પણ નથી રહ્યા. અમીરોની માહિતી આપનારી મેગેઝિન ફોર્બ્સે વર્ષ 2008 માં અનિલ અંબાણીને છઠ્ઠા સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. પરંતુ છેલ્લા 11 વર્ષોમાં ચિત્ર બદલાઈ ગયું છે. અનિલ અંબાણી, જે 59 વર્ષના થયા છે, હવે અબજોપતિ નથી રહ્યા. હાલમાં, અનિલ અંબાણીની કુલ સંપત્તિ રૂ. 3651 કરોડ છે, પરંતુ તેમાં તે કંપનીઓની વેલ્યુ પણ સામેલ છે જેના શેર ગીરવે મુકવામાં આવ્યા છે. જો આ રીતે મૂલ્યાંકન કરવામાં આવે, તો તેમની મિલકતની કિંમત ફક્ત રૂ. 765 કરોડ રહી જાય છે, જેના કારણે અનિલ અંબાણી અબજોપતિ ક્લબ માંથી બહાર થઇ ગયા છે.
આ પણ વાંચો: પત્ની પાસેથી 10 હજાર ઉધાર લઈ શરૂ કરી કંપની, બનાવ્યા 2.5 કરોડ રૂપિયા

અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર લોનની સ્થિતિ જાણો
અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપ પાસે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. માર્ચ 2018 ના આંકડા અનુસાર, રિલાયન્સ કેપિટલ પર 46,400 કરોડ રૂપિયાનું દેવું હતું. આરકોમ પર 47,234 કરોડ રૂપિયાનું દેવું હતું. આ ઉપરાંત, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને ઈન્ફ્રા પર કુલ મળીને 36 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું. રિલાયન્સ પાવર પર પણ 31,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે.

હવે દેવું પૂરું કરવા માટે વેચાઈ રહી છે ગ્રુપ કંપનીઓ
તાજેતરમાં, અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપે જણાવ્યું છે કે તેમના ગ્રુપે સંપત્તિ વેચીને છેલ્લા 14 મહિનામાં રૂ. 35,000 કરોડથી વધુનું દેવું પૂરું કર્યું છે. ગયા 2 વર્ષમાં રિલાયન્સ ગ્રૂપની સંપત્તિની જે બે મોટી કંપનીઓ વેચી તેમાં રિલાયન્સ પાવરનું ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ અને રીલાયન્સ ગ્રુપનું મ્યુચ્યુઅલ ફંડ કારોબાર છે.

આ રીતે વેચાયો મ્યુચ્યુઅલ ફંડ કારોબાર
અનિલ અંબાણી મ્યુચ્યુઅલ ફંડના કારોબાર માટે એક કંપની ચલાવતા હતા. આ જોઈન્ટ વેન્ચરનું નામ રિલાયન્સ નિપ્પોન લાઇફ એસેટ મેનેજમેન્ટ હતું. કંપનીના ભાગીદારને કંપનીએ 42.88 ટકા હિસ્સો વેચી દીધો. આ વેચાણમાંથી મળેલા પૈસા પણ દેવું ઘટાડવા માટે ખર્ચવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
