રેલવે ભાડામાં વધારો નહીં, પ્રભુના બજેટની ખાસીયતો
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની સરકારે પહેલી વાર રેલવે બજેટને આજે રજૂ કર્યું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે સંસદ ભવનમાં રેલવે બજેટ 2015ને રજૂ કર્યું. સુરેશ પ્રભુએ પોતાના રેલવે બજેટ ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીનો એવું કહીને આભાર માન્યો તેમને આ કામગીરી સોંપવામાં આવી.
સુરેશ પ્રભુએ પોતાના ભાષણમાં પોતાની લાગણી પણ વ્યક્ત કરી, જેની પર સંસદમાં હાસ્યના ફુવારા પણ છૂટ્યા. સુરેશ પ્રભુએ જણાવ્યું કે જ્યારે મને આ કામ સોંપાયું તો મે મારી જાતને પુછ્યું કે 'હે પ્રભુ આ કેવી રીતે થશે.' રેલવે મંત્રીના આ વાક્ય સાથે જ સંસદમાં જ હાસ્યના ફુવારા છૂટી ગયા. તેમણે જણાવ્યું કે કંઇ વાંધો નહીં આ પ્રભુ કરીને બતાવશે. જોકે તેમના આ રેલવે બજેટમાં ખુશીની વાત એ છે કે તેમણે રેલવે ભાડામાં વધારો કરાયો નથી.
બીજી કંઇ ખાસીયતો છે પ્રભુના રેલવે બજેટની આવો જાણીએ....

ભાડામાં વધારો કર્યો નથી
દેશના લોકો માટે રાહતની વાત એ છે કે તેમણે પોતાના બજેટમાં રેલવે ભાડામાં વધારો કર્યો નથી. જેનાથી સામાન્ય મુસાફરોના ખિસ્સા પર કોઇ વધારાનો બોજો પડ્યો નથી.

4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ
સુરેશ પ્રભુએ બજેટમાં બુકિંગની સમય મર્યાદા ઘટાડી દીધી છે, હવે 4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ થઇ શકશે જેથી એજન્ટો ટિકિટોની કાળા બજાર ના થઇ શકે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન માટે 3 મહિનામાં રિપોર્ટ દાખલ કરવામાં આવશે. ત્યાર બાદ નક્કી કરવામાં આવશે કે અમદાવાદ અને મુંબઇની વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઇ શકશે કે નહીં.

400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા
સુરેશ પ્રભુએ ખાસ કરીને રેલવેને ડિજિટલાઇટ કરવાનો નિર્ણય પર કર્યો. જેમાં તેમણે 400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત પણ કરી.

મહિલાઓની સુરક્ષા પર ભાર
મહિલાઓની સુરક્ષા પર ભાર મુકતા તેમણે મહિલાઓના રેલવે ડબ્બામાં સીસીટીવી કેમેરા રાખવાની જાહેરાત કરી. પરંતુ તેમની ગોપનીયતાનો પણ ખ્યાલ રાખવામાં આવશે, તેવું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે લોઅર સીટ માટેનો કોટા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન
દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની તેમણે જાહેરાત કરી. આ ઉપરાંત નોર્થ-ઇસ્ટથી રેલવે નેટવર્કમાં વધારો થશે.

9 કોરીડોર પર 200 કિમીની ગતિ
અત્રે નોંધનીય છે કે 9 કોરીડોર પર 160થી 200 કિમીની ગતિથી ટ્રેનોને દોડાવવાની જોગવાઇ પ્રભુના બજેટમાં જોવા મળી.

રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ સેંટર
બીએચયુ અને આઇઆઇટીમાં રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ કરવામાં આવશે. બીએચયુમાં માલવીયના નામ પર રિસર્ચ સેંટર ખોલવામાં આવશે.

સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ, સુવિધા
પ્રભુએ જણાવ્યું કે અમારા ચાર લક્ષ્યો છે- સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ, સુવિધા. સ્ટેશન અને ગાડીઓની સફાઇ માટે નવા વિભાગ બનાવવામાં આવશે. 17 હજાર બાયો ટોયલેટને લગાવવામાં આવશે.

5 મિનિટમાં ટિકિટ ખરીદી/એસએમએસ/ મોબાઇલ ચાર્જર
5 મિનિટ પહેલા આપ જનરલ ટિકિટ ખરીદી શકશો. ટ્રેન આવ્યાના 15 મિનિટ પહેલા તેમના મોબાઇલ પર એસએમએસ મળી જશે. સ્માર્ટફોનમાં અનારક્ષિત ટિકિટની સુવિધા. તેમજ જનરલ ડબ્બામાં મોબાઇલ ચાર્જરની સુવિધા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
