જાણો અઘોરી સાધુઓ વિષે આ અજાણ વાતો
અઘોરી સાધુ આ નામ વિચારતા જ ભસ્મધારી, જટાધારી, રહસ્યમયી અને ડરામણા દેખાતા સાધુ બાબાનું ચિત્ર આપણી સામે ઊભું થઇ જાય છે. ભારતમાં અનેક પંથના સાધુઓ છે પણ અગોરી સાધુઓ અને તેમના રહસ્યમયી સંસાર વિષે જાણવાની આપણને હંમેશા ઇચ્છા થતી જ રહેતી હોય છે.
અધોરી સાધુઓ શંકર ભગવાનના ભૈરવ સ્વરૂપની સાધના કરે છે. વધુમાં તેમની સાધનાઓ વિચિત્ર અને ખૂબ જ કઠોર હોય છે. સ્મશાનમાં રહેતા આ અઘોરી બાબાઓ હંમેશા પોતાની સાધનામાં તલ્લીન હોય છે.
ત્યારે આ અઘોરી સાધુઓ વિષે કેટલીક રસપ્રદ અને રોચક માહિતીઓ આજે અમે તમને જણાવાના છીએ. તો વાંચો આ આર્ટીકલ અને જાણો અઘોરી બાબાના આ રહસ્યમયી સંસાર વિષે...

મનમાં મેલ નહીં
આ અઘોરી સાધુઓ કોઇના પણ પ્રત્યે અણગમો નથી રાખતા, તે લોકો સામે પણ નહીં જે તેમનાથી નફરત કરતા હોય. વધુમાં તે કૂતરા અને ગાય સાથે પણ પોતાનું ભોજન શેયર કરતા હોય છે. તથા તે જે થાળીમાં કે ગ્લાસ ખાય છે તેમાંથી પશુને પણ ખવડાવે છે.

મૃત્યુથી પર છે
તેમને મૃત્યુ અને સ્મશાનથી ભય નથી લાગતું. તેમનું તો જીવન જ અહીં વ્યતિત થાય છે. રાખ તેમનું વસ્ત્ર છે. અને શિવનામ તેમની પૂજા. વધુમાં પાંચ તત્વોથી બનેલી ભષ્મ તેમને બિમારી અને મચ્છરથી દૂર રાખે છે.

માનવ કંકાલ, ખોપડી
તે ગંગા, યમુના નદીમાં તરતી લાશોને નીકાળે છે. અને તેના મૃત અવશેષો ખાય છે. વધુમાં તે તેમના ગુરથી પ્રાપ્ત થયેલા જાદુઇ મંત્રને હાસિલ કર્યા બાદ જ અઘોરી રીતે જીવન વ્યતિત કરે છે.

સ્મશાનમાં ધ્યાન
તે રાતમાં ધ્યાન અને સાધના કરે છે. વધુમાં તે દૂષિત-સાફ, પવિત્ર-અપવિત્રનું અંતર મિટાવીને જાદુઇ શક્તિથી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

ભોજન
તે મળ, મુત્ર, સડેલું માનવ શબ જેવી અનેક વસ્તુઓ ભોજન સ્વરૂપે ગ્રહણ કરે છે. તે પાછળ તેમનું તર્ક છે કે આવી વસ્તુઓ ખાવાથી અહંકારનો નાશ થાય છે. સુંદરતાનો જે માનવીય દ્રષ્ટિકોણ હોય છે તે તેમના મનથી દૂર થાય છે.

નરભક્ષી
તે નરભક્ષી હોય છે પણ તે પોતાની ભૂખ માટે કોઇને મારતા નથી. તે મૃત શરીરનું ભોજન અને કાચું માસને જ ખાય છે. વધુમાં તે માંસની નિશ્ચિત માત્રા ખાધા પછી તે શબ પર બેસીને સાધના કરે છે.

ડરામણા
મોટા ભાગે તે કપડા ધારણ નથી કરતા અને અમુક વખતે તે ખાલી એક નાનકડી લંગોટમાં ફરે છે. તેમનું માનવું છે કે કપડા પહેરવા એક સાંસરિક વસ્તુ છે અને સાધુને તેનાથી ઉપર આવવા નગ્ન જ રહેવું જોઇએ.

દવાઓ
તેમની પાસે અનેક રહસ્યમળી દવાઓ હોય છે જેનો ઉપયોગ તે પોતે જ્યારે બિમાર હોય છે ત્યારે કરતા હોય છે. તે માનવ હાડકામાંથી નીકળેલી તેલ પણ વાપરે છે.

કાળો જાદુ
તેવું માનવામાં આવે છે કે અનેક અઘોરી સાઘુઓ કાળા જાદુ અને તાંત્રિક શક્તિઓની પૂજા કરે છે. તે કાળી માતા અને ભૈરવની સવિશેષ પૂજા કરે છે.

અલગ તરીકો
તેમની ઇશ્વરપ્રાપ્તિની સાધનો બિલકુલ અલગ હોય છે. તે ગંદકીમાં જ પવિત્રતા શોધે છે. તેમનું માનવું હોય છે કે શુદ્ધ અશુદ્ઘ માનવીય અભિગમ છે અને મનુષ્યને તેની ઉપર જઇને ઇશ્વરની પ્રાપ્તિ કરવી જોઇએ.

મંત્ર અને ગંજો
અનેક અધોરી ભાંગ અને ગંજાનું સેવન કરે છે. તે તેમની દૈનિક ક્રિયા છે જેનાથી તેમને તેમની સાધનામાં મદદ મળે છે તેવું તેમનું માનવું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
