જ્યોતિષ મુજબ જાણો, શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે?
ઉરી અને બારામુલ્લા આતંકી હુમલા અને ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન અને ભારતની વચ્ચે સ્થિતિ ખૂબ જ તનાવથી ભરેલી છે. વળી ભારત અને પાકિસ્તાન બન્ને દેશો પરમાણુ હથિયારો ધરાવે છે. ત્યારે જે રીતની તણાવપૂર્ણ સ્થિતિ ઉપજી છે તે જોતા ક્યાંક ને ક્યાંક દરેકના મનમાં એક સવાલ ઊભો થાય છે કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે?
શું પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરશે? શું મોદીના રાજમાં ભારતને એક મોટા યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે? આ તમામ સવાલોના જવાબ જાણવા મુશ્કેલ છે. પણ આ જ્યોતિષના આધારે ગ્રહોની ચાલ સમજીને ભવિષ્ય ભાખી શકાય છે. અને ત્યારે જ્યોતિષ આધારે અમે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થશે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો છે. તો વધુ વાંચો નીચે....

જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે?
જ્યોતિષ વિશ્લેષણ મુજબ સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે એક વર્ષમાં વધુ વખત સૂર્ય કે ચંદ્ર ગ્રહણ થાય છે તો તેની અશુભ અસર જરૂરથી જોવા મળે છે.

6 સૂર્ય ગ્રહણ
વર્ષ 1953-54ની વચ્ચે કુલ મળીને 6 સૂર્ય ગ્રહણ થયા હતા. આ 10 વર્ષોમાં ભારતના હાથથી તિબ્બટ ગયું હતું. ચીને આક્રમણ કર્યું હતું. જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું.

ત્રણ સૂર્ય ગ્રહણ
તો વર્ષ 1971 થી 1973માં પણ ત્રણ સૂર્ય ગ્રહણ થયા હતા. ત્યારે યુદ્ધ બાદ બાંગ્લાદેશનો જન્મ થયો હતો. વર્ષ 1982, 1992, 2000માં ક્રમશ ચાર થી ત્રણ વાર સૂર્ય ગ્રહણ થયા હતા. જેના કારણે પંજાબમાં ખાલિસ્તાની ચળવળ, બે મંત્રીઓની હત્યા, ઓપરેશન બ્લુ સ્ટાર, સત્તા પરિવર્તન જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. અને કારગિલ યુદ્ધ પણ થયું હતું.

હાલ યુદ્ધ નહીં થાય
નોંધનીય છે કે 15 દિવસમાં બે ગ્રહણ થવા અશુભ માનવામાં આવે છે. વર્ષ 2016માં 9 માર્ચે પૂર્ણ સૂર્ય ગ્રહણ અને પંદર દિવસ પછી 23 માર્ચે આશંકિ ચંદ્ર ગ્રહણ થયું હતું. વળી 1 સપ્ટેમ્બરે પણ પૂર્ણ સૂર્ય ગ્રહણ અને 16 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ થયું હતું. આ ખગોળીય ઘટનાને કારણે ઉરી આતંકી હુમલો અને સર્જિકલ સ્ટ્રાઇક જેવી સ્થિતી સર્જાઇ હતી. જો કે જ્યોતિષ મુજબ 10 ફેબ્રુઆરી 2017 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તનાવપૂર્ણ સ્થિતિ રહેશે. અને તેમાં ફરી એક સર્જિકલ સ્ટ્રાઇકની સંભાવના રહેલી છે. પણ યુદ્ધના કોઇ સંભાવના હાલ નથી.

2018 થઇ શકે છે યુદ્ધ
જો કે 2018થી 2019માં જ્યોતિષ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સંભાવના રહેલી છે .વળી સન 2018માં 15 ફેબ્રુઆરી, 13 જુલાઇ અને 11 ઓગસ્ટે સૂર્ય ગ્રહણ છે. અને 31 જાન્યુઆરી અને 27 જુલાઇએ ચંદ્રગ્રહણ છે.

ગુરુનું અંતર શરૂ
સ્વતંત્ર ભારતની કુંડળીમાં 10 ઓગસ્ટ 2018થી ચંદ્રમાં ગુરુનું અતંર શરૂ થાય છે. ગુરુ અષ્ટમેશ થઇને શત્રુના ભાવ ષષ્ઠમમાં બેસે છે. અષ્ઠમ ભાવ યુદ્ધ અને ષષ્ઠમ ભાવ શત્રુને બતાવે છે. જે બતાવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સંભાવના પ્રબળ છે. જો કે યુદ્ધ થયું તો પણ ભારતની મોટી જીત થશે અને વૈશ્વિક ફલક પર આ જીત ભારતને વાહવાઇ અને પાકિસ્તાનને ફટકાર અપાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
