Vasant Panchami 2023 Date: ક્યારે છે વસંત પંચમી 25 કે 26 જાન્યુઆરીએ? જાણો શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજા વિધિ
વસંત પંચમી આ વખતે 25મીએ છે કે 26 જાન્યુઆરીએ છે તે માટે પંચાંગશાસ્ત્રીઓમાં મતભેદ છે. આવો જાણીએ શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજા વિધિ.
Vasant Panchami 2023 Date: માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજાનો દિવસ પણ છે. આ દિવસે બાળકોના દીક્ષા સંસ્કાર કરવામાં આવે છે. આ દિવસે વણજોયુ મુહૂર્ત હોય છે, તેથી મુહૂર્ત વિના લગ્ન કરવામાં આવે છે. આ વખતે 26 જાન્યુઆરી 2023ના રોજ વસંત પંચમી આવી રહી છે. આ દિવસે શિવ યોગ હોવાથી પંચમીનુ મહત્વ વધુ વધી ગયુ છે.

26મીએ જ મનાવાશે વસંત પંચમી
આ વખતે વસંત પંચમીની ઉજવણી માટે કેટલાક પંચાંગને લઈને સામાન્ય લોકોમાં મૂંઝવણ છે. કેટલાક પંચાંગ 25મીએ તો કેટલાક 26મીએ વસંત પંચમી ઉજવવાની વાત કરી રહ્યા છે. પરંતુ શાસ્ત્રો અનુસાર 26 જાન્યુઆરીએ વસંત પંચમીની ઉજવણી કરવી યોગ્ય અને શાસ્ત્રો સંમત છે. વાસ્તવમાં પંચમી તિથિ 25 જાન્યુઆરીએ બપોરે 12.34 વાગે શરૂ થશે અને 26 જાન્યુઆરીએ સવારે 10.28 વાગે સમાપ્ત થશે. એટલા માટે કેટલાક પંચાંગશાસ્ત્રીઓનુ માનવુ છે કે પંચમી 25 તારીખે ઉજવવી જોઈએ પરંતુ આ તદ્દન ખોટુ તથ્ય છે. સૂર્યોદય વ્યાપિની તિથિને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે અને સૂર્યોદય સમયે પંચમી તિથિ 26મીએ જ છે. તેથી જ 26મીએ વસંત પંચમીની ઉજવણી શાસ્ત્રો અનુસાર થશે. 26 જાન્યુઆરીએ બપોરે 3.30 વાગ્યા સુધી શિવ યોગ રહેશે.
વણજોયુ મુહૂર્ત
વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ અને શુભ કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની જરૂર નથી. આ દિવસે મોટી સંખ્યામાં લગ્નો કરવામાં આવે છે. આ ઉપરાંત મુંડન, યજ્ઞોપવીત, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી જેવા શુભ કાર્યો પણ થાય છે. બાળકોના વિદ્યારંભ સંસ્કાર માટે આ સૌથી યોગ્ય દિવસ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. સંગીત શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ પણ આ દિવસે દેવી સરસ્વતીની વિશેષ પૂજા કરે છે. માતા સરસ્વતીને પીળા ફૂલોથી શણગારીને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
