શ્રાવણ સોમવાર નિમિત્તે કરો જ્યોતિર્લિંગના દર્શન
શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર ભગવાન શંકરના મંદિરે ઉમટી લોકોની ભીડ
આજે શ્રાવણ માસનાો છેલ્લો સોમવાર છે, શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કરવાનો મહિમા અનેરો છે. આજે માસના છેલ્લા સોમવારે ભગવાન ભોળાનાથને રિઝવવા શુભ ફળ મેળવવા લોકો સવારથી જ પૂજા કરવા ઉમટી પડ્યા હતા. આજે રક્ષાબંધન, પુનમ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું અનોખું સંયોજન થયું છે. આજના દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના જીવનમાં અનેરુ સુખ આપે છે. આથી જ આજે દેશમાં વિવિધ મંદિરોમાં શંકર ભગવાનની પૂજા માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. આજે અમે તમને આપણા કેટલાક જ્યોતિર્લિંગોના દર્શન કરાવીશું...

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
ગંગા કિનારે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન શંકરને રિઝવવા લોકો આજે સવારથી જ વારાણસી ઘાટ પર જઈને પુજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. ગંગા ઘાટ પર ડુબકી લગાવીને શિવની આરાધના કરતા નજરે ચડ્યા હતા.

મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન
મહાકાલની નગરી ઉજ્જૈનમાં પણ શ્રાવણના છેલ્લા સોમવારને કારણે સવારની મંગળા આરતીમાં લોકોની માટી ભીડ જોવા મળી હતી. ઉજ્જૈનના મહાકાલેશ્વર વિશે આપણા પુરાણોમાં ઘણા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. આ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગમાંથી ત્રીજા જ્યોતિર્લિંગ તરીકે પુજાય આવે છે. કહેવાય છે કે, ભગવાન શંકરનું રૌદ્રરુપ અહીં જોવા મળે છે.

સોમનાથ મહાદેવ, સોમનાથ
બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલા સોમનાથને પુજવામાં આવે છે. ભગવાન શંકરને શ્રાવણ માસ દરમિયાન અલગ શૃંગાર કરવામાં આવે છે. આ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાથી લોકોના જીવનમાં રહેલી સમસ્યાઓનો અંત આવે છે.

ગૌરી શંકરમંદિર, દિલ્હી
દિલ્હીના જાણીતા ગૌરીશંકર મંદિરમાં રક્ષાબંધન અને શ્રાવણના છેલ્લા સોમવારને લઈને મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. આ મંદિર 800 વર્ષ જુનું છે. તે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલ છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં આવેલું ભુરા રંગનું શિવલિંગ છે. દર વર્ષે શ્રાવણ માસમાં આ મંદિરે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
